#ઝેન
આખું જગ જેની મોરલી ના સુરનો દિવાનો છે.
એ કાનુડો દીવનો છે રાધા ના પ્રેમ નો ..
દરેક ભાર થી જેને લોકો ને મુક્ત કર્યા છે .
એ કાનુડો જીવે છે રાધા ના વિરહ નો ભાર લાઈ ને
દર્શન માત્ર થી જેના માણસ વેકુંન્ઠ પામે છે.
અ કાનુડો તરસે છે તેના મિત્ર ના દર્શન ને..
આખો ગોવર્ધન પર્વત જેને ઉપડ્યો છે.
એ કાનુડો રોકી ના શક્યો તેના પોતના કુળ ના વિનાશ ને..
મહાભારત મા જેને સમય ને રોકી ને રાખ્યો છે .
અ કાનુડો રોકીના શક્યો તેના મૃત્યુ ને .
વિષ્ણુ નો અવતાર થઈ ને જેને જનમ લીધો છે.
એ કાનુડો જીવી ગયો આ સંસાર મા માણસ થઈ ને ...