#ઝેન
ધ્યાન થી મન ની અને આત્મા ની શુદ્ધિ થાય છે, ધ્યાન એકાગ્ર કરવાથી ઈશ્વરની અનુભૂતિ થાય છે,
જેમ શરીર ને ખોરાક ની જરૂર પડે છે. તેમ આત્મા ને પ્રાથના અને ધ્યાન ની જરૂર પડે છે.
ધ્યાન માં બેસવાથી આત્મા ની તૃપ્તિ થાય છે.
સંત મહાત્માઓ, યોગીઓ,સાધુઓ, પોતાના આત્મા ને પરમાત્મા સાથે જોડવા માટે, ધ્યાન માં બેસે છે,અને પરમતત્વ સચિદાનંદઘનશ્યામ પરમાત્મા ની સાક્ષાત્કાર અનુભૂતિ કરે છે.
ધ્યાન માં બેસવાથી આત્મા અને પરમાત્મા નું મિલન થાય છે,અને ત્યાંથી સાક્ષાત્કાર શરૂ થાય છે.
ધ્યાન આત્મા ને પરમાત્મા સાથે જોડે છે,અને પછી આત્મા અને પરમાત્મા નું એકીકરણ થાય છે.
ધ્યાન કરવાથી માણસ ના જીવન માં કર્મ અને વાણી શુધ્ધ થાય છે,અને પવિત્ર થાય છે.
🥀ધ્યાન એટલે આત્મા નું પરમાત્મામાં કેન્દ્રિત થવું.🥀
🌷 જય શ્રી ક્રિષ્ન🌷
✍️માહી