સાચા મોતી શા માટે પરપોટા થઇને ફૂટી જાય છે?
ઇશ્વર જાણે એવું શું મનમાં સંઘરેલું ખૂટી જાય છે?
આમ જુઓ તો પેટાળે સવાયું થૈ નેબાથ ભીડે પણ
કિનારે પહોંચીને કેમ ફટ્ટાક દઇને
ફૂટી જાય છે
મોતીનું તો કામ છે ખૂદ વિંધાય ને પરોવાવું
ગળા લગ જઇ શોભી ઉઠવું ને પછી કિંમતી થૈ જવું
શા માટે એ દોરી વિંટાળી ગળામાં ને
છુટી જાય છે?
મોતી જો સાચું છે તો શા માટે એ ફૂટી
જાય છે?
કા કસર ઝવેરીની કાં તો બેખબર ખરીદાર
જેમ સરે મુઠ્ઠીથી રેતી એમ જ મોતી સરી
જાય છે.