"બલિદાન ક્યારે અપાય ?" પ્રશ્ન સાથે મદનલાલ ઢીંગરા સાવરકરજી સામે જોઈ રહ્યા . કર્જન વાઈલીનો ડાટ વારવા માટે ઢીંગરા ઉત્સુક હતા . ત્યારે પોતાના મોટા ભાઈ સમાન એક પ્રખર જ્ઞાની કે જેમનામા અખુટ જ્ઞાનનો પ્રવાહ વહે છે . જેમનામા દેશ માટે બલિદાન આપવાના ભાવના છે જેમનું વ્યક્તિત્વ એક યુગપુરૂષ છે . શંકરની વચ્ચેની આંખ જેવું દાવાનળ અને ગંગા જેવું નિર્મળ જીવન છે . પોતાની છાતીના ધબકારા માતૃભૂમિ સાથે તાલ મિલાવી ચાલે છે . એવા પુરુષ સામે ઢીંકરાએ પ્રશ્ન કર્યો . પોતાના ભાલ પર દ્રઢતા લાવી સાવરકરજીએ જવાબ આપ્યો , " બંધુ બલિદાન કોઈ દિવસ સમય નથી જોતું , પણ સમય ઉપર પોતાના હસ્તાક્ષર કરે છે "
સાવરકારે પોતાના મૃત્યુ સુધી એકપણ વાર સત્તા ભોગવવાનો કે સત્તામાં આવવાનો વિચાર નહી કર્યો . સાવરકર જન્મજંયતિ ગત દિવસમાં ગઈ એટલે આ લેખ લખવાનો થયો . બધા મિત્રો જાણેજ છે કે સાવરકરજી જેટલો કોઈએ જેલવાસ નથી ભોગવ્યો . છતા આઝાદી ગાંધી અને નેહરૂના નામે અંકિત થઈ ગઈ . કાળાપાણીની સજામાં થતી વેદનાનું વર્ણન સાવરકરજીએ પોતે લખેલી "માજી જન્મટીપ" મરાઠી પુસ્તકમાં કર્યું છે .
પોતે એક કવિ , લેખક , તત્વજ્ઞાની, સમાજશાસ્ત્રી એક ઉમદા વકિલ પણ હતા . બેવડી જનમટીપની સજા થઈ હતી એટલે કે પચાસ વરસનો અંધકાર , આંદમાનની જેલમાં પસાર કરવાના . ૧૮૫૭ ના સંગ્રામનો ખુબ અભ્યાસ કર્યા પછી તેના પર એક પુસ્તક લખ્યું . જેના પર અંગ્રેજ સરકારે પાબંધી લગાવી હતી . નાની ઉંમરમાં માતાનો ખોળો ગુમાવ્યા બાદ આ ધરતીને જ પોતાની માતાનો ખોળે સમજી લીધે . પોતે ત્રણ ભાઈ હતા ત્રણે ભાઈએ જેલની સજા ભોગવી છે આ દેશ માટે સાવરકરજીના ધર્મપત્નીએ પોતાના ઘરેણા પણ વહેંચ્યા ત્યારે ભારતે આઝાદીનો સુરજ જોયો છે .
કાળકોઢરીમા લખવા માટે એક પણ કાગળ કે પેન નહતી , કોલસા થી દિવાલ પર કવિતા લખતા , કંઠસ્થ કરતા પછી ભુસી નાંખતા . સાત વરસે તો ખબર પડી કે તેમના મોટા ભાઈ પણ એ જ જેલમાં કારાવાસની સજા ભોગવે છે . કેવો પહેરો રહ્યો હશે ત્યારે એક ભાઈ પોતાના મા જણ્યા ભાઈને મળે અને પહેલીવાર હાથમા બાંધેલ બેડીના બંધન કાળ બને , સાત વરસે એકબીજાને બાહોપાસમા લીધા ત્યારે વાતાવરણ કેવું બન્યું હશે , એ દ્રશ્યની મૌન સાબિતી ધરાવતી સેલ્યુલર જેલની દિવાલ હજુ પણ ત્યાં ઉભી છે .
કોઈ પુરુસ્કાર કે કોઈ પદનું નામ નથી સાવરકર . સાવરકર તો એક દેશભક્તિનો લોહસ્થંભ છે જેના પર હાલના મણિશંકર અય્યર જેવા ચાટુકાર લોકોએ સાવરકરને ગદ્દાર કહી કાટ ચડાવ્યો છે . સાવરકરના પગમાં પડેલા ચીરાના મોલ લગાવા બેઠા છે , જેમની અગ્રજ પેઢી ચાઈના સાથેના યુદ્ધમાં દેશ સાથે ગદ્દારી કરતી હતી એ મણિશંકર અય્યરે સાવરકરનુ ચિત્ર સંસદભવન માથી બહાર કાઢ્યું . જે પાકિસ્તાનમા જઈ દેશને તોડવાની વાત કરે છે એ મણિશંકર સાવરકરને દેશદ્રોહી કહે ત્યારે દેશવાસીઓના પેટમાં પાણી પણ ડગે ....! આ દેશ સલમાન કે શારુખનો નહી પણ સાવરકર , સુભાષ અને સરદાર પટેલનો દેશ છે . જે યુગપુરુષમા કલમ અને કટાર ચલાવવાની તાકાત હતી . જેમના લેખ અને કવિતા પર પ્રતિબંધ લાદવામા આવ્યો , જેમને લોકોમાં અને ખાસ યુવાનોમાં દેશદાઝનો સંચાર કર્યો હતો તે પુરુષ આઝાદી મળતા જ દેશદ્રોહી થઈ ગયો ? તેમની દેશ ભક્તિ પર સંદેહ કરવામાં આવી રહ્યો છે .
મનોજ સંતોકી માનસ