Gujarati Quote in Motivational by મોહનભાઈ આનંદ

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સમસ્ત બ્રહ્માંડ શબ્દ મય છે, એ પ્રાણશક્તિ નું સ્પંદન છે.
એ આનંદ સ્વરૂપ છે. એકબીજા સાથે જોડતું માધ્યમ છે.
જીવમાત્ર માં વિચાર ઉત્પન્ન થવો, સહજ સ્વાભાવિક છે.
વિચારો વગરનો માણસ હોઈ શકે નહિ. એ સત્ય વાત છે.

શામાટે વિચારો આવે છે?
આ પ્રશ્નનો જવાબ વિચાર નું બીજ છે.
વિચારો નુ બીજ એ તમારી સુષુપ્ત શક્તિઓ છે.ઈચ્છા અને તૃષ્ણા નો મનોમય સંગ્રહ છે..

વિચારો ભીતર થી જ આવે છે , એવું નથી બહારથી ઈન્દ્રિયો દ્વારા વિચારો ભીતર ઘૂસી ને ધમાલ મચાવે છે. આમ થવાનું
પ્રાકૃતિક છે. તમે શું કરશો? ફક્ત વિચાર કરી શકો..

શુભ અશુભ ,ગતિ પ્રગતિ કે અધોગતિ ના એવા જાત જાતના
વિચારો આવે છે. તમે વિચારો ના મહાસાગર માં તરી રહ્યા છો.
વિચારો માં બળ કે સામર્થ્ય હોય છે. તેની ગતિ અને અનુભૂતિ
હોયછે. તમે વિચારવંત છો . વિચારો તમારો આદર્શ છે.

‌શુ વિચાર શૂન્યતા શક્ય છે ?
શું તમારા મન માં આવતા વિચાર ને રોકી શકો છો? કે એના
સ્વરુપ ને બદલી શકો છો..

હા,,, તમે વિચારો ને અટકાવી વિચાર શૂન્ય બની શકો છો.
વિચારો ને બદલી શકો છો. વિચારો ની આપ લે કરી શકો છો.
વિચારો તમારું સાધન છે. તમે વિચાર નથી. તમે વિચાર કરી શકો છો. વિચાર તમને વિચારી શકે નહિ. એ પરમાત્મા ની
અદ્ભુત લીલા અને સામર્થ્ય માનવ મન માં મુકીને માનવ ને
મહાન બનાવ્યો છે.

વિચારો ને સમજવા શબ્દ અને પ્રાણ સાધના કરવી પડશે.
સંયમી જીવન જીવવાની તાલીમ લેવી જોઈએ. એક જગ્યાએ
સ્થિર બેસવાનો મહાવરો જોઈએ. પછી પાંચ કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો ને વશમાં કરી લેવાથી મન વશમાં આવશે.ધૈર્ય ધારણ કરી પ્રત્યાહાર નો અભ્યાસ કર્યો હોય તો ધારણા સિદ્ધ થાય.અને ધારણા સિદ્ધ થાય તો જ ધ્યાન થાય.અને તના માટે
એકાગ્રતા રાખવી જોઈએ..આમ વિચારો પર નિયંત્રણ લાવી
શકાય છે..

વિચારો પરના નિયંત્રણ થી ગજબ નો આત્મવિશ્વાસ અને
સંકલ્પશક્તિ નો વિકાસ થાય છે. તેનાથી માનવની ભૌતિક અને આધ્યાત્મિક ઉન્નતિ થાય છે.

::::::::::😂😂:::::::😂😂:::::::

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111446428
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now