આપની ખુશ્બુ ભળે જ્યારે પવનમાં,
ફેરફારો થઇ પડે ત્યારે શ્વસનમાં.
શબ્દ ને વાક્યો વગરની મેહ્ફીલોમાં,
ગુઢ સાંકેતીકરણ હોતું નયનમાં.
મન પ્રવાહી થઇ ઢળી જાશે કદીક તો?
કાળજી રાખી નથી દિલના જતનમાં.
ભેજ કાગળને નરમ કરતો રહે છે,
એટલે લખતો થયો છું હું અગનમાં.
લાગણીનાં “વિપ્લાવો”નું સત્ય છે આ,
કે ગઝલ માં પ્રાણ આવે છે પતનમાં.