Astrological Reason Behind Cancer, Know About Cancer With The Help Of Kundali Grah
આ રીતે તમે જાણી શકો છો કે તમને કેન્સર થઈ શકે કે નહીં? કરજો ઈલાજ
કેન્સર એક એવો રોગ છે જેનુ નામ સાંભળતા જ પરસેવો છુટી જાય. વર્તમાન સમયમાં કેન્સરનો હજુ પણ કોઈ અક્સિર ઈલાજ શોધાયો નથી, ભાગ્યાશાળી લોકો જ આ ભયાનક બીમારીમાંથી બચી જાય છે. જ્યોતિષવિદોનુ માનવુ છે કે વિશેષ યુતિને કારણે વ્યકિતને કેન્સર જેવી ભયાનક બીમારી થાય છે.
જન્મ કુંડળી જોઈ કેન્સર થવા પાછળનું વૈજ્ઞાનિક કારણ જાણી શકાય છે. જ્યોતિષિઓનું કહેવુ છે કે જો સમયની સાથે પ્રતિકુળ ગ્રહો કે મંત્રો તથા અન્ય ઉપાય કરવામાં આવે તો કેન્સર જેવા રોગથી બચી શકાય છે.
જ્યોતિષ શાસ્ત્રો અનુસાર રાહુ-કેતુ જે ભાવમાં હોય છે, તેને સંબંધીત આંગોમાં કેન્સરની આશંકા વધારે રહે છે. જે ગ્રહોની યુતિ છે તેને સંબંધીત અંગોમાં કેન્સર થવાની સંભાવના વધારે રહે છે. આ ઉપરાંત જન્મ કુંડળીમાં ઘણા દોષ હોવાથી કેન્સર થાય છે.
જે લોકોની કુંડળીમાં લગ્નેશ અસ્ત હોય છે, તેમને કેન્સર થવાની સંભાવના વધારે રહે છે.
-શનિ, મંગળ, રાહુ અને કેતુની યુતિ છઠ્ઠા, આઠમા અને બારમાં ભાવમાં હોય તો કેન્સર થવાની શકયતા રહે છે.
-છઠ્ઠા, આઠમાં અને બારમાં ભાવમાં પાપ ગ્રહોની દ્રષ્ટિ પ્રભાવ હોવાથી પણ કેન્સર થઈ શકે છે.
-લગ્નમાં પાપ ગ્રહોની ઉપસ્થિતિ અથવા તેના પર ગ્રહોની દ્રષ્ટિનો પ્રભાવ હોય તો આવી વ્યકિતને કેન્સર થવાની શકયતા રહે છે.
-લગ્નેશ જો નિર્મળ થઈ છઠ્ઠા કે બારમાં ભાવમાં સ્થિત થઈ પાપ ગ્રહોના પ્રભાવમાં હોય તો કેન્સર થવાની શકયતા રહે છે.
ત્રિકેશના લગ્ન-લગ્નેશ સંબંધ હોય તો પણ કેન્સર પણ થઈ શકે છે.
જેમની કુંડળીમાં ત્રિક ભાવ હોય અને તેના પાપ ગ્રહોની દ્રષ્ટિ અથવા પાપ ગ્રહોની યુતિ હોવાથી કેન્સર થવાની શકયતા રહે છે.
-ચંદ્રમાના ત્રિક ભાવમાં હોવાથી અને પાપ ગ્રહોની યુતિ થાય તો કેન્સર થઈ શકે છે.
-છઠ્ઠા,આઠમા અને બારમા ભાવમાં સ્વામિઓ પરસ્પર સ્થાન પરિવર્તિત થાય અથવા તેના સંબંધ લગ્નેશ સાથે થાય તો કેન્સેર થવાની શકયતા રહે છે.
-કુંડળીમાં જે ગ્રહને કારણે કેન્સરની સંભાવના હોય છે તેની દશા અથવા અંતર્દશામાં આ રોગ થઈ શકે છે.
-પાપ ગ્રહોની દશા-અન્તર્દશામાં આ રોગ થાય છે.
ત્રિકેશની દશા-અન્તર્દશામાં કેન્સરથી પીડીત થઈ શકો છો.
-મારકેશની દશા અન્તર્દશા પણ આ રોગ માટે ઉત્તરદાઈ થઈ શકે છે.
-રાહુ-કેતુની દશા-અન્તર્દશામાં આ પ્રકારનો રોગ થવાની શકયતા વધારે રહે છે.
-રાહુ-કેતુ કે શનિના અશુભ ગોચરમાં કેન્સર જેલા રોગ થવાની શકયતા છે.ઘણીવાર આ યોગ મંગળ તથા ગુરુની અશુભ ગોચરીય સ્થિતિમાં પણ થઈ શકે છે.
-જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં જે ગ્રહોને કારણે કેન્સર થવાની શકયતા રહે છે તે ગ્રહો સાથે સંબંધીત જ્યોતિષચાર્ય ઉપાયો કરવાથી તે ગ્રહોના જાપ પૂર્ણ વિધિ વિધાનથી કરો.ઉપરોકત ઉપાયો કરવાથી કેન્સર થવાની શકયતા ઓછી રહે છે તથા કેન્સર થાય તો તેના સંબંધિત ઉપચાર થઈ શકે છે.