#આનંદ
કેટલું કમાયો ? શું કમાયો ? શું કર્યું ? શું ખરેખર અહીંયા પરિવાર ના બધા લોકોને છોડીને જવાની તારે જરૂર હતી ? શું ખરેખર તારે મન જીવન ની ખુશી ઓ કરતા પૈસા વધારે મહત્વના હતા? શું ખરેખર પૈસા કમાઈને તારા વગર ભોગવેલી યાતનાઓનો હિસાબ આપી શકીશ? સવાલો તો મનમાં ઘણા હતા પણ વિશ્વજા ને અત્યારે તો પોતાના પતિ ના ઘણા વર્ષો પછી ઘરે આવવાના સમાચાર સાંભળી ને જ મનમાં આનંદ વ્યાપી ગયો હતો.