Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Vastu For Husband And Wife Relationship

પતિ-પત્નીએ ક્યારેય ન સૂંવું જોઇએ આ દિશામાં, થઇ શકે છે વિવાદ !

ઘરમાં જો વાસ્તુ દોષ હોય તો તેનો ખરાબ પ્રભાવ ઘરના વિવિધ સભ્યોના જીવન પર અલગ-અલગ પડે છે. પતિ-પત્નીની વચ્ચે તણાવ, ભાઇ-ભાઇ વચ્ચે ઘણા વિવાદ અને ઝગડાનું કારણ વાસ્તુદોષ પણ હોઇ શકે છે. જાણો કઇ દિશા અથવા ખૂણામાં વાસ્તુ દોષ હોવાથી તેનો શું પ્રભાવ હોઇ શકે છે.

1- પતિ-પત્નીએ આગ્ન્ય કોણ (પૂર્વ-પશ્ચિમ)માં ક્યારેય ન સૂવું જોઇએ. જેનાથી મન-મસ્તિષ્કમાં અશાંતિ રહેશે તથા રોજ વિવાદ થવાની સ્થિતિ પણ બની શકે છે.

2- દક્ષિણી નૈઋત્ય (પશ્ચિમ-દક્ષિણ), ઉત્તરી વાયવ્ય (ઉત્તર-પશ્ચિમ) અથવા પશ્ચિમી-નૈઋત્ય (પશ્ચિમ-દક્ષિણ)નું નિર્માણ જો ઠીક ન હોય તો પતિનો સંબંધ અન્ય મહિલાઓ સાથે હોઇઅ શકે છે, જેના કારણે ઘરમાં વાદ-વિવાદની સ્થિતિ બને છે. જો આ દોષને દૂર કરવામાં આવે તો આ સમસ્યાનું પણ નિવારણ આપમેળે જ થઇ જાય છે.

3- પ્લોટનું નિર્માણ કરાવતી સમયે ઈશાન કોણ (ઉત્તર-પૂર્વ) માં ખાલી સ્થાન અવશ્ય છોડવું તથા નૈઋત્ય કોણ (પશ્ચિમ-દક્ષિણ)ની તુલનામાં વધારે છોડવું તો પતિ-પત્નીની વચ્ચે સામંજસ્ય બની રહે છે.

4- ઘરના મુખ્ય વડીલને ઈશાન કોણ (ઉત્તર-પશ્ચિમ)માં તથા પુત્ર-વહુને નૈઋત્ય કોણ (પશ્ચિમ-દક્ષિણ)માં ન સૂવું જોઇએ. જેનાથી ઘરમાં ક્લેશ થવાની સંભાવના વધી જાય છે.

5- વિવાહિત વ્યક્તિએ ઘરના વાયવ્ય કોણ (ઉત્તર-પશ્ચિમ)માં ન સૂવું જોઇએ, તેનાથી દાંપત્ય જીવનમાં નીરસતા આવી શકે છે.

6- જો ઘરના પશ્ચિમમાં રસોઈ હોય અને દક્ષિણમાં મુખ્ય દ્વાર હોય તો તે ઘરના સભ્યોમાં મતભેદ વધારે થઇ શકે છે.

7- જો ઈશાન કોણ (ઉત્તર-પૂર્વ)માં રસોઈ અને શૌચાલય હોય તો ઘરમાં સતત વિવાદ થવાની સ્થિતિ બને છે.

8- જો પ્લોટના દક્ષિણમાં ઉત્તરની અપેક્ષા વધારે સ્થાન ખાલી છોડવામાં આવ્યું હોય તો ઘરની મહિલાઓમાં અશાંતિનું વાતાવરણ રહે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111344466
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now