#ગાંધીગીરી
સત્ય,પ્રેમ અને કરુણા ના અર્ક ને ભેળવી ને તૈયાર થતી વાનગી એટલે "ગાંધીગીરી".પહેલા કોળિયે કદાચ આ વાનગી કડવી લાગે પરંતુ,જેમ જેમ આદત થતી જાય તેમ
આ વાનગી તમારા "સામાજિક" અને "માનસિક" સ્વાસ્થ્ય માટે ખુબજ લાભકારક બને.મહાત્મા ગાંધી ના વ્યક્તિત્વ ની કોઈ સરખામણી ના થઇ શકે પણ "ગાંધીગીરી" એક એવો રસ્તો છે કે જેના દ્વારા એ મહાન વિભૂતિ નો સાક્ષાત્કાર થઇ શકે છે.ગાંધી ચીંધ્યા માર્ગે ચાલવું એ કોઈ આસાન કામ નથી.દ્રઢ ઇચ્છાશક્તિ અને ભરપૂર આત્મવિશ્વાસ,અને અદમ્ય સહનશીલતા વગર ગાંધીગીરી શક્ય નથી."ગાંધીગીરી" દ્વારા જીવન માં અકલ્પનિય પરિણામો મેળવી શકાય છે.જીવન માં એક વખત પ્રયોગાત્મક ધોરણે સહુ કોઈ એ "ગાંધીગીરી" અજમાવવી જોઈએ.