અરે ઓ માનવ
સાચેજ, માનવનો ખુદગરજી માં કોઈ મેળ નથી
દુનિયામાં ખુદગર્જી થી વધારે ખતરનાક કોઈ ખેળ નથી
આં ખુદગરજી જ માનવનો સર્વ નાશ નોતરે છે ;
ઝાડો કાપી, એ પોતાની જ બરબાદી કંડોરી, કોત્રે છે.
ધરતી ઉપર, પ્રાણવાયુ આં રીતે કમ ના કર, ઓ મૂર્ખ માનવ;
બની બેઠો છે તું આં ધરતી માટે, એક જીવતો જાગતો દાનવ.
છોડ આં ખુદગરજી તારી, તાત્કાલિક ઝાડો વાવ.
લચલચતા બગીચા, વન, ઉપવનો વાવી, આં ધરાને બચાવ.
આંધળો થઈ, પંપાળ ના અહમ અને તારી ગરજ;
છે એક ઇન્સાન તરીકે, આં તારી મહત્વપૂર્ણ ફરજ.
મળશે આશીર્વાદ ધરતી માતાના; થશે વૃદ્ધિ તારી.
ઝાડ પાન રોપી, ફળ ફુલ વાવી, કરીલે સમૃદ્ધિ સ્વની.
Armin Dutia Motashaw