જિંદાદિલી
વાંચી ને વિચારજો
વર્ષો પહેલાં નો છે આં, આઝાદી પૂર્વે નો એક કિસ્સો.
ચાલતી હતી આઝાદીની ચળવળ હતો લોકોમાં ઘણો જુસ્સો.
અંગ્રેજો તરફ હતો ભારતવાસીઓ ને બેહિસાબ ગુસ્સો.
એક નવપરિણીત જોડું કરતું હતું જાસૂસી નું કામ.
એટલામાં વર પકડાઈ ગયો; થયું નામ એનું બદનામ
બહુ ભયાનક આવવાનો હતો એ બિચારાં નો અંજામ.
નવોઢાની એક તરફ હતો એનો જુવાન પતિ બીજી બાજુ હતો દેશ
પોતે જવાની માં વિધવા થવું કે સ્વતંત્ર બનાવવો દેશને !!
યાદ કર્યું એને રાજપૂતો નો મહાન ત્યાગ પોતાના દેશ માટે.
એ વીરાંગનાએ પતિને કહ્યું પ્રેમથી, આપણે કરીએ કાઈક નવું.
આપણે, માતાને બચાવવા, કેસરિયા, જોહર કરી કુરબાન થઈ જવું.
"હસતાં હસતાં આપીયે કુરબાની બંન્ને, તમને આપશે ફાંસી, પછી મારે ઝેર પી સૂઈ જવું."
અનેક કુબનીઓ આપ્યા પછી મળી છે આં આઝાદી
તો હવે કેમ થઈ રહી છે ચારો તરફ મારામારી ને બરબાદી ??
ચાલો સંપીને બનાવીએ નવું ભારત, તો જ આવશે ખરી આબાદી.
Armin Dutia Motashaw