???
ગધેડાએ વાઘને કહ્યું ,
' ઘાસ પીળું હોય છે .'
વાઘે કહ્યું ,
' નહિ ઘાસ તો લીલું હોય છે .'
પછી તો પૂછવું શું , બંને વચ્ચે ચર્ચા જામી પડી . બંને પોત પોતાની વાતે મક્કમ રહ્યા . આ વિવાદના અંત માટે બંને વનરાજ સિંહ પાસે ગયા .
પ્રાણીદરબારમાં સર્વની મધ્યે રાજા તરીકે સિંહાસને સિંહ આરૂઢ હતા .
વાઘ કઈ કહે એ પહેલા તો ગધેડાએ કહેવાનું શરૂ કરી દીધું .
' બોલો ! વનરાજ ઘાસ પીળું હોય છે ને ? '
સિંહે કહ્યું , ' હા ! ઘાસ પીળું હોય છે .'
ગધેડો , ' આ વાઘ માનતો જ નથી .મને હેરાન કરે છે . એને યોગ્ય સજા થવી જોઈએ .'
રાજાએ ઘોષણા કરી , '
વાઘને એક વર્ષ માટે જેલ થશે . '
મહારાજનો ચુકાદો સાંભળી ગધેડો આનંદમાં આવી નાચતો કૂદતો જંગલમાં ચાલ્યો . રસ્તે જે મળ્યા તેને કહેતો ગયો કે વાઘને એક વર્ષની સજા થઈ છે . '
જે કોઈ સાંભળતું તે નવાઈ પામતું . એક ગધેડાએ એવું તે શું કર્યું કે વાઘને જેલની સજા થઈ .
વાઘે વનરાજ સમીપે જઈ પૂછ્યું , ' કેમ મહારાજા ! ઘાસ તો લીલું હોય છે ને ? '
મહારાજાએ કહ્યું , ' હા ! ઘાસ તો
લીલું હોય છે .
વાઘે કહ્યું , ....
તો પછી મને જેલની સજા શા માટે ? '
સિંહે કહ્યું , ' તમને એટલા માટે સજા નથી આપી કે ઘાસ પીળું હોય છે કે લીલું . તમને એટલા માટે સજા આપી છે કે ......
ગધેડા જેવા મૂર્ખ સાથે
તમારા જેવા બહાદૂર અને ઉચ્ચ કોટિના પ્રાણી એ વિવાદ કર્યો અને અહીં સુધી નિર્ણય કરાવવા આવી પહોચ્યા .
*શીખવાનું શુ.....? ?*
*કે જીવન માં મૂરખ લોકો અને બહુ હોશિયાર પોતાની જાત ને સમજતા હોય એવાની સાથે મગજ મારી મા પડવું નહીં.*
*કારણ કે એમાં કિંમત આપણી થાય મૂરખ ની નહીં.*
???