જીવનમાં ઘણાં લોકો એવા પણ હોય છે જે બીજા માં હંમેશાં ભૂલો જ શોધતા હોય છે અને પોતાની ભૂલ ક્યારેય પણ ના દેખાય .તમે નિરીક્ષણ કરી જુવો કે જે માણસના તમે 99 કામ કરો અને કોઈક વાર એ તમને કામ બતાવે અને તમે તમારા પોતાના કામમાં વ્યસ્ત હોય અને એમનું કામ ના કરી શકો તો તમારા કરેલા 99 કામ પણ નિષ્ફળ જાય..એટલે કે તમારા કરેલા 99 કામનું મૂલ્ય પણ 0 થઈ જાય.. આ બાબત મેં કોઈને વ્યક્તિગત ઉદ્દેશીને નથી લખી માટે કોઇએ વ્યક્તિગત ના લેવું પણ હા જે લોકો આવું કરતા હોય અને જે લોકોએ ભૂતકાળમાં આવુ કર્યું હોય અને કોઈની જોડે સંબંધ બગાડ્યો હોય એ થોડો ઇગો જતો કરીને માફી માગી લેજો અને કોઈની સમસ્યાને ધ્યાનમાં લેજો અને ફરી આવું ના થાય તેનું ધ્યાન રાખજો..જેથી પસ્તાવા નો દિવસ ના આવે ..જેને લાગુ પડતું હોય એ ખોટું ના લગાડતાં પણ વિચારજો ..