તારા શ્રૃંગાર ની તો મને ખબર નહીં પણ તારુ સૌંદર્ય લખવા નિકળ્યો છું...
જીંદગી નુ તો કંઈજ ઠેકાણું નથી બસ તને પ્રેમ કરવા નિકળ્યોછું...
આજીવન મારી કલમ તારા માટે તૈનાત રહેશે
તારા મુગ્ધ માધુર્ય ને બસ માણવા નિકળ્યો છું...
શુદ્ધ પ્રેમ ની પરિભાષા તો હવે શું કહું
યાદ કરતા કરતા બસ તને સમજવા નિકળ્યો છું...
યુવા કવિ વિશ્વાસ બહુ ઓછા લોકો પર કરે છે
અને એટલેજ આજે અંધકાર ને ભૂલવા નિકળ્યો છું...