6# સત્ય ક્યારેય ન છુપાવવું જોઈએ. સાગરના પાણીનું બાષ્પીભવન થઈને ઉપર વાદળ બને છે પરંતુ એક દિવસ સમય આવતા તેજ જળ વરસાદ બનીને ફરી સાગરમાં મળી જાય છે. સત્યનું પણ કંઈક આવું જ છે તમે તમારા મનરૂપી વાદળોમાં સત્ય ગમે તેટલું છુપાવો પરંતુ એક સમયે તે આપણી સમક્ષ આવીને ઉભું રહે જ છે અને ત્યારે તે એક ભય બનીને સામે આવે છે અને પછી વ્યક્તિ લાચાર બની જાય છે. માટે સત્યથી ભાગવું નહિ કે તેને છુપાવવું પણ નહિ પરંતુ તેનો સ્વીકાર કરવો જોઈએ.
7# સાતમી વાત ભગવાન શ્રી કૃષ્ણ જણાવે છે કે ક્યારેય અન્યાય સામે નમવું ન જોઈએ. ક્યારેય અનીતિ સામે નમવું ન જોઈએ પછી સામે અનીતિનું આચરણ કરનાર ભલે કોઈ શક્તિશાળી કેમ ન હોય. તેના શક્તિશાળી હોવાના કારણે ડરવું ન જોઈએ. ડર થોડા સમય માટે સુરક્ષા જરૂર આપશે પરંતુ તેની સામે એક પછી એક અન્યાયો સહન કરવા પડતા હોય છે માટે ડરને ભગાવી અન્યાય સામે લડવું જોઈએ.