આજની વાત .....
પાંચ રાજ્યોની સેમી ફાઈનલ ભાજપ માટે જીત ન કહેવાય તો હાર પણ કહેવાય કે કેમ ?
૩ ટર્મથી જો મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર હોય તો ન બદલાય તો જ લોકશાહી માટે નવાઈ કહેવાય.
છતીસગઢ માં પણ આ બાબત લાગુ પડે છે
.વળી મધ્ય પ્રદેશમાં તો બહુમતી કોઈ પાર્ટી પાસે નથી .
અને ભાજપ ,કોંગ્રેસ નો બેઠકનો ફેર બે પાંચ બેઠકનો જ દેખાય છે.
પણ સરકાર કોંગ્રેસ બનાવી રહ્યું છે અન્ય પક્ષોની મદદથી એ
મોટી બાબત છે.
રાજસ્થાનની જનતાની તો પ્રણાલિકા રહી છે કે બીજી ટર્મ વિરોર્ધી પાર્ટી ને આપે છે .
એટલેકે છેલ્લા ૨૫ વરસથી કોંગ્રેસ ને ભાજપ વારાફરતી જીતે છે અને સરકાર બનાવે છે.
આ વખતે પણ આજ ઈતિહાસનું પુનરાવર્તન થયું છે.
પણ ૨૦૧૯ના લોકસભા ઈલેક્શન પૂર્વેની સેમીફાઈનલમાં મળેલી આ
શિકસ્ત પચાવવી અઘરી થઇ પડશે.
એટલું જ નહી આ સીટોની બાદબાકી પણ થશે.
સાથે સાથે ઉતર ર્પ્રદેશની સીટો ની બાદબાકી તો ખરીજ...
આજની વાત.....