જિંદગી માં ચળવળ તો આવ્યા કરે,પણ શું કરશું દિલ છે ભરાય તો આવે ને. કોઈને પ્રેમ કરવો હોય તો દિલ કઠણ રાખવું જરૂરી છે,કારણ કે પ્રેમ પ્રાપ્તિ નથી પ્રાર્થના છે અને પ્રાર્થના કર્યા બાદ જરૂરું નથી કે ભગવાન શાક્ષત દર્શન આપવા આવે,હા મહેસુસ જરૂર થાય એના હોવા નો,પણ મન મક્કમ હોય તો જ બાકી હાથ લાંબો કરો ને માંગ્યું મળે એ ભૂલી જવું.
પ્રેમ કરવો પણ એની ના નથી પણ એક ઘર છે પરિવાર છે,જીવન છે આનો ઉદેશ્ય ફક્ત પ્રેમ નથી,કર્મ છે જ્ઞાન છે લક્ષ્ય છે,અને સહુથી મોટી વાત એક નામ છે જે જન્મ થયા બાદ હોશે હોંશે ઘર પરિવાર મળી ને તમને આપે છે,એ નામ પણ તમારી ઓળખ છે સહુથી મોટી એને પણ જતા પહેલા ઓળખ આપતા જાવ.
સેક્શપિયર એ ભલે કહ્યું હોય કે નામ માં શું રાખ્યું છે,પણ એ નામ વિના તમને કોઈ ક્યાંય એન્ટ્રી નહીં આપે નામ પહેલા જોશે,હસ્તાક્ષર કરવા માટે,યાદી પૂર્વા માટે.
બુદ્ધિશાળી વ્યક્તિ ભવિષ્ય નું વિચારે છે,
અને આજ પર જીવવા વાળો વ્યક્તિ ફક્ત પોતાનું જ વિચારે છે.
Dp,"પ્રતીક"