તરસથી પર થવાની વાત લખવી છે,
તાબક્કાવાર, આખી જાત લખવી છે,
દિવસ ક્યાં હોય છે મોહતાજ વરણનો ?
રહસ્યો ખોતરીને, રાત લખવી છે,
નથી લખવા મરણના એકપણ કિસ્સા,
ઊતર ચડ શ્વાસની, ખેરાત લખવી છે,
હલેસા,તટ, વમળ,સઢ,નાવ, જળ, નાવિક
વકલ દરિયાની, સાતે સાત લખવી છે,
લખાયો છે સતત ઈશ્વર, તવારીખમાં,
મનુષ્યો માત્રની, ઔકાત લખવી છે,
થયા છે લોક જેનાથી વિમુખ આજે,
અહીં એ લાગણી સાક્ષાત લખવી છે
પ્રથા તો છે બધું ભૂલી જવાની પણ
અમારે યાદ ની અમીરાત લખવી છે.
ડો. મહેશ.