સંબંધ ની ફિલસૂફી (એક વિચાર)
આપણો સંબંધ કેટલા જન્મો જન્માંતર થી ચાલતો આવે છે, કેટલા હર્ષ સાથે કેટલી આનંદ ની તાજગી સાથે આપણે આપણા આ દામ્પત્ય જીવન ને શરૂ કર્યું હતું.
યાદ કર હું હતી તું હતો અને આ ખુલ્લું મોકળું આકાશ ક્યાંય ઝાકળને કોઈ અવકાશ નહતો.
પછી એવું તો શું બદલાઈ ગયું. કેમ આપણી ખુશીઓ એ દુઃખ નું સ્થાન લઈ લીધું?
કેમ આપણી એ બહુ જ બધી લાગણીના વ્યક્ત થતા ઉન્માદો એ *અબોલા* લઈ લીધા.
એ માન્યું કે પરિપક્વતા સાથે પ્રેમ ની અભીવ્યક્તિ બદલાઈ પણ આ *અબોલા*
એ તો પ્રેમ નથી. એ રોજ ખૂચે છે ક્યારેક તો બોલી ને હળવું થવું જ પડે. તો જ જીવન અને આપણે બંને એક બીજા સાથે વ્યક્ત થઈ શકીશું.
બસ તો ચાલ આજે નિર્ણય લઈએ હવે આપણા સંબંધ મા ક્યારે પણ *અબોલા* નહિ આવે, આપણે નિખાલસ જેમ હતા તેમ જ વ્યક્ત થતાં રહીશું તો જ જીવન આપણું ઉમળકાભેર ધબકતું રહેશે અને તો જ આપણા સંબંધ આપણા સગપણ નું અસ્તિત્વ ટક્યું રહેશે.
સંબંધ નું વળી ક્યાં કોઈ નામ *અબોલા* છે?
સંબંધ નું નામ તો એક બીજા ની સાથે વ્યક્ત થવું છે.
રાકેશ ગઢવી