અભીપ્સાની આગ સમે ત્યારે ફક્ત નિરપેક્ષ સંબંધો રચાય છે, જેને હું સખીત્વ કહું છું, મિત્રતામા મોજ હોય, પણ સખીત્વમા તો ફક્ત ને ફક્ત સમર્પણ જ હોય છે, સુખ દુઃખ નું પૂર્ણપણે સમર્પણ, કૃષ્ણ દ્રૌપદી ને સખી કહેતા ને દ્રૌપદી કૃષ્ણ ને સખા, કેટલા અદભુત શબ્દો ને સંબંધો પણ, વગર કહ્યે બધા હકો આપી દેવાના ને ફરજ બધી પણ વગર કહ્યે નિભાવવાની. રડાવવાનો પણ હક ને મનાવવાની પણ ફરજ. મને સખીત્વ નો આવો આહલાદક અનુભવ કરાવવા બદલ આભાર... સખીઓ...