only edited
એક બહુમાળી ઇમારતનું બાંધકામ ચાલી રહ્યુ હતું.
લગભગ 10 માળ જેટલું કામ પુરુ થયું હતું. એક વાર સવારના સમયે
કંસ્ટ્રકશન કંપનીનો માલિક ઇમારતની મુલાકાતે આવ્યો.
એ 10માં માળની છત પર આંટા મારી રહ્યો હતો.
ત્યાંથી નીચે જોયુ તો એક મજુર કામ કરી રહ્યો હતો.
માલિકને મજુર સાથે વાત કરવાની ઇચ્છા થઇ.માલિકે
ઉપરથી મજુરને બુમ પાડી પણ મજુર કામમાં વ્યસ્ત
હોવાથી અને આસપાસ અવાજ થતો હોવાથી એને
માલિકનો અવાજ ન સંભળાયો. થોડીવાર પછી મજુરનું
ધ્યાન પોતાના તરફ ખેંચવા માટે માલિકે ઉપરથી 10
રૂપિયાનો સિક્કો ફેંક્યો. આ સિક્કો મજુર કામ
કરતો હતો ત્યાં જ પડ્યો. મજુરે તો સિક્કો ઉઠાવીને
ખીસ્સામાં મુકયો અને કામે વળગી ગયો.
માલિકે હવે 100ની નોટ નીચે ફેંકી. નોટ
ઉડતી ઉડતી પેલા મજુરથી થોડે દુર પડી.
મજુરની નજરમાં આ નોટ આવી એટલે લઇને
ફરીથી ખિસ્સામાં મુકી દીધી અને કામ કરવા લાગ્યો.
માલિકે હવે 500ની નોટ નીચે ફેંકી તો પણ પેલા મજુરે એમ જ કર્યુ જે અગાઉ બે વખત કર્યુ હતું. માલિકે હવે હાથમાં નાનો પથ્થર લીધો અને પેલા મજુર પર માર્યો.
પથ્થર વાગ્યો એટલે મજુરે ઉપર જોયું અને
પોતાના માલિકને ઉપર જોતા તેની સાથે વાત ચાલુ
કરી.
મિત્રો, આપણે અહી ધ્યાન દોરવાનું કે એ આપણે એ મજુર નથી બનવાનુ જે
ભગવાનને આપણી સાથે વાત કરવાની ઇચ્છા હોય એ
આપણને સાદ પાડીને બોલાવે ને આપણે
કામમાં એવા વ્યસ્ત રહીએ ને પ્રભુનો સાદ આપણે
સંભળી ના શકી. પછી એ નાની નાની ખુશીઓ આપવાનું
શરુ કરે ને આપણે એ ખુશીઓને ખિસ્સામાં મુકી દઇએ
ને વિચાર જ ના કરીએ કે આપવા વાળુ કોણ. છેવટે
ભગવાન દુ:ખ રૂપી નાનો પથ્થર ફેંકી આપણુ ધ્યાન દોરાવુ પડે.