Quotes by Chaitanya Joshi in Bitesapp read free

Chaitanya Joshi

Chaitanya Joshi

@chaitanyajoshi203050


મુસીબતમાં મારગ ચીંધનાર " મા " તું હતી.
પરિવારને પોતાનો માનનાર " મા " તું હતી.

સંસારના સંતાપથી અકળાઈ ઊઠતા જ્યારે,
ધીરજ, હિંમત, આશા દેનાર " મા " તું હતી.

હોય કોઈ સભ્યને તકલીફ પરિવારમાં ત્યારે,
અગડ લઈ પોતે માનતા કરનાર " મા " તું હતી.

ખૂબ વેઠ્યો સંઘર્ષ આજીવન સહન કરીકરીને ,
પોતે તાપ સહી શીતળતા બક્ષનાર " મા " તું હતી.

કદીએ ના ભૂલાય, ના વિસરાય એવું વ્યક્તિત્વ,
હારેલાંને દૈ હૈયારી અશ્રુ લૂંછનાર " મા " તું હતી.

આજે પુણ્યતિથિએ પ્રાર્થે છોરૂ પરમેશને પ્રેમથી,
ૠણ ના ચૂકવાતું, ક્ષમા આપનાર " મા " તું હતી.

- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.

Read More

એકદા આસ્થા મારી ફળશે જરૂર.
જે ઝંખ્યાં રોમેરોમે એ મળશે જરૂર.

કસોટી ધીરજની કેટકેટલી હોવાની,
મનની મુરાદ હનુમંત કળશે જરૂર.

પ્રશ્નો અંતરમને સળવળતા નિતનવા,
સામાધાન શ્રીહરિનુંને ટળશે જરૂર.

એ જ રામ છે જે શબરીને મળનારા,
અહલ્યાને ઉદ્ધારનારા આવશે જરૂર.

એળે ન જાય કોઈની ઈબાદત કદીએ,
મળવાને હનુમત સંગ નીકળશે જરૂર.

હશે ભલામણ મહાવીરની; કામ થશે,
ધનુર્ધારી સીતાસમેત સાંભળશે જરૂર.

- ચૈતન્ય જોષી " દીપક " પોરબંદર.

Read More

કામ માનવતાનાં કરતા જોઈને હરિવર હરખે.
નિજજન પોતાના જાણીને રહેતા એની પડખે.

જનેજનમાં જુએ જનાર્દન જનસેવા કરનારા,
હરિ ગણી એને હેત કરે ત્યાં તો હરિવર હરખે.

રામનામને રામકામનો સમન્વય જીવનમાં આવે,
સાચા બંદા નિહાળીને શ્રીપતિ કેવા એ તો મરકે.

કામ હરિનું કરનારાને હરિવર પોતાના ગણી રાખે,
ભક્ત શોધવા જવા ન પડતા એમાં જ એ તો પરખે.

અત્ર,તત્ર, સર્વત્ર વ્યાપે છે હરિવર એટલું જે સમજે,
દીનદુઃખી કરી સહાય નિ:સ્વાર્થ હરિને એ તો નોતરે.

- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.

Read More

મારું સમગ્ર જીવન હો મહાદેવના ચરણે.
કોટિકોટિ એને નમન હો મહાદેવના ચરણે.

હાલતાં, ચાલતાં, કામ કરતાંને શ્વસતાં,
શિવ નામનું વસન હો મહાદેવના ચરણે.

પંથ કપાતો ડગલેપગલે યાદ શિવને કરી,
નેહ નીતરતાં નયન હો મહાદેવના ચરણે.

ના રહે રાગ કે દ્વેષ કોઈના પ્રતિ ક્યારેય,
સ્મરણે ઉર ધડકન હો મહાદેવના ચરણે.

રહે સામીપ્ય નિતનિત સદાશિવ શંકરનું,
રંગાયેલ ભક્તિમાં મન હો મહાદેવના ચરણે.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Read More

આફતવેળા આવજોને ભક્તવત્સલ શ્રીહરિ.
વેદવચન તમે પાળજોને ભક્તવત્સલ શ્રીહરિ.
મકરગ્રાસથી ગજ ઉગાર્યો,
જ્યાં એ ઉરભાવે પોકાર્યો.
વસમીવેળા તમે ટાળજોને ભક્તવત્સલ શ્રીહરિ.
દ્રૌપદીનાં ચિર પૂરનારા,
પ્રહલાદને ઉગારનારા.
આપદા મારી નિવારજોને ભક્તવત્સલ શ્રીહરિ.
ઉર તમારું નવનીત ભૂલાવે,
સાદ કરું જ્યાં સત્વરે આવે.
ગરુડગામી પધારજોને ભક્તવત્સલ શ્રીહરિ.
નાથ દયાનિધિ અંતરયામી,
હાજર થૈ દેજો હાથ થામી.
અંતર આવકારે આવજોને ભક્તવત્સલ શ્રીહરિ.
મારે એક ભરોસો છે ભારી,
કૃપાદ્રષ્ટિ તમે કરો ખરારી.
પ્રતિક્ષા મારી તમે મીટાવજોને ભક્તવત્સલ શ્રીહરિ.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Read More

શબ્દો પંગુ પૂરવાર થાય એ હરિ છે.
માનવમતિ જ્યાં મૂંઝાય એ હરિ છે.

ના વિશ્વાસ આવે આંખને જોવાથી
ગણતરી ઊંધી વળી જાય એ હરિ છે.

મનમંદિરે એ સૌના બિરાજે અવિરત,
ચરિત્ર જેનું ના સમજાય એ હરિ છે.

સંખ્યા નહિ પણ સત્વને જે સ્વીકારે,
ભક્તવત્સલતાથી બંધાય એ હરિ છે.

દુઃખી દેખીને દ્રવનારા દેવ દયાનિધિ,
નિજજન વિયોગે અકળાય એ હરિ છે.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Read More

આજેય ભક્તોની લાજ રાખતા દીઠા મારા હરિ.
છોડી સાકેતવાસને એ આવતા હેઠા મારા હરિ.

દ્રવી ઊઠતું દિલ એનું આપદા પોતાનાની જોતાં,
વિવિધ રૂપ લઈ અવનીમાં એ તો પેઠા મારા હરિ.

સાદ સાંભળી ભક્તજનનો કોઈ કાળે ન રહેનારાં,
એણે ધરાવાસ જાણે લાગ્યા મધમીઠા મારા હરિ.

સંકટ ટાળી નિજજનનું શ્વાસ શાંતિનો એ લેતા,
સમય સાચવનારા ન રહેતા પછી છેટા મારા હરિ.

ઓળખ છૂપાવવાની આદત એની આજે યથાવત,
બાકી આમજનને લાગે કે નથી કૈં નેઠા મારા હરિ.

-ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Read More

ઉરથી અંકુરિત થતી નવજાત કવિતા.
જાણે કે અંતરની કહેતી વાત કવિતા.

સરિતાવત્ જાય એ સતત વહેતી કેવી,
રખેને ઈશ્વરની હશે એ સોગાત કવિતા.

ગેયતા સંગાથે વેલ સમી એ વધનારી,
સાહિત્યની કોઈ અનેરી એ ભાત કવિતા.

ઊછળકૂદ કરતી ગાતી હરખાતી સુંદર,
હશે કરી એણે ઈશ્વરની મુલાકાત કવિતા.

પ્રેરણા ઈશતણી શબ્દ થૈને પાંગરનારી ,
કોઈ કદરદાન કરશે આત્મસાત કવિતા.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Read More

આજે ધરતી થરથર ધ્રૂજે, હવે તો હરિ અવતરો.
એને કૈં બીજું કશું ના સૂઝે, હવે તો હરિ અવતરો.

પાપાચારની પરાકાષ્ઠા માનવતા ભૂલાવતી રાઘવ,
નગરી અવધ આજે ઝંખે , હવે તો હરિ અવતરો.

દંડાય છે દેવસમાને , અત્યાચારી એશોઆરામે,
ખુદ સત્યને પણ ઉર ડંખે, હવે તો હરિ અવતરો.

ધરી રામરૂપને ધનુષબાણને કરગ્રહી પધારો તમે,
નથી નારી સલામત આજે, હવે તો હરિ અવતરો.

કૈં શાપિત અહલ્યા પસ્તાવે પ્રભુને પ્રાર્થનારી છે,
ચરણરજ તમારી એ માગે, હવે તો હરિ અવતરો.

ઘેરઘેર ઠેરઠેર દશાનનો સાધુવેશે ફરી છેતરનારા,
દ્દૃષ્ટોને હરિવર ક્યારે હણે, હવે તો હરિ અવતરો.

અન્યાયનો અતિરેક આજે અવનીને અકળાવતો,
આગમનની વાટ સૌ જુએ, હવે તો હરિ અવતરો.

અધર્મના આચરણે નથી રહ્યો માનવ આચારમાં,
ક્યારે ધર્મસંસ્થાપન કરી રક્ષે, હવે તો હરિ અવતરો.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Read More

આજે સરજૂએ અમીજળ વહાવ્યાં હશે રામના પ્રતાપે.
ગ્રહ, નક્ષત્ર, યોગ,તિથિ અનુકૂળ થયાં હશે રામના
પ્રતાપે.
ભવ્ય અને દિવ્ય અવધપુરી શોભતી હશે અલકાપુરી
જાણે કે,
દેવતાઓ રામદર્શને નભેથી આવ્યા હશે રામના
પ્રતાપે.
ભૂલ્યા ભાન દિવાકર અસ્ત થવાનું હર્ષાવેશમાં અવધપુરીમા,
એને પણ રામદર્શનના ઓરતા જાગ્યા હશે રામના
પ્રતાપે.
ચારેય ભાઈના જન્મથી અયોધ્યા આનંદવિભોર થઈને,
જાણે કે દશરથના મનના કોડ પૂરાવ્યા હશે રામના પ્રતાપે.
યાચકો પણ થાકી ગયા હશે રામજન્મની ભેટ સ્વીકારીને,
લાલાના દર્શને કૈલાસપતિ ખુદ આવ્યા હશે રામના પ્રતાપે.
સફળ થયો જન્મ એવી અનુભૂતિ થૈ હશે દશરથને આજે તો,
માન્યું કે એના પરાભવના પુણ્યો ફળ્યા હશે રામના પ્રતાપે.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Read More