Quotes by Chaitanya Joshi in Bitesapp read free

Chaitanya Joshi

Chaitanya Joshi

@chaitanyajoshi203050


કરે ભગવાનને ક્વચિત્ મનની મુરાદ એ કળે.
સાતે જન્મમાં મને મારું બસ એ વતન મળે.

અદ્દભૂત છે આ નગર પોરબંદર જે ગમતીલું,
જઈ ચોપાટીને ટહેલતાં મનના વિષાદો ટળે.

સાગર પણ મનુજ સંગ સથવારો પૂરતો કેવો!
મનના તરંગોની જેમ એનાં તરંગો કેવાં ભળે.

ધન્ય ધરા સુદામાપુરીની જ્યાં કૃષ્ણસખા રહ્યા,
વંદન શતકોટિ બાપુને અંગ્રેજ આખરે ખળભળે.

પૂરાં પુણ્યોનો પ્રતાપ કે પોરબંદર રહેવાનું મળે,
લાગે છે કે જન્મોજન્મનાં સુકૃતો આજે જ ફળે.

-ચૈતન્ય જોષી. 'દીપક ' પોરબંદર.

Read More

કેમ ચાલ્યો જીવ તારો, બાળક કુસુમો ભરખતાં?
કેમ ચાલ્યો જીવ તારો, કળીઓને પણ ખેરવતાં?

લઈને અગનજાળમાં આહુતિ નિર્દોષની દીધી તે,
કેમ ચાલ્યો જીવ તારો, ભૂલકાઓના જીવ લેતાં?

પૂછી જો એના માતા પિતાને કે વેદના શું કહેવાય? કેમ ચાલ્યો જીવ તારો, માતપિતાથી વિખૂટા કરતાં?

નહોતી જોઈને દુનિયા એને અગ્નિદાહ જીવતે જીવ!
કેમ ચાલ્યો જીવ તારો, આવાકાંડ ક્રૂરતાથી સર્જતાં?

ધિક્કાર છે તને અગ્નિ આવી બર્બરતા જે તે આચરી,
કેમ ચાલ્યો જીવ તારો, દરવાજો મોતનો ઉઘાડતા?

- ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.

Read More

ઘરનું છત્ર બનીને જે રહેતા, એ મારા પિતા હતા.
ના કશી પણ ફરિયાદ કરતા, એ મારા પિતા હતા.

ના કદીએ માત્ર પોતાનું એ વિચારતા ક્યારેય પણ,
કુટુંબભાવનાથી જે જીવતા, એ મારા પિતા હતા.

સૌની જરૂરિયાત પૂરી કરવા એ પ્રયત્નશીલ રહેતા,
ના કદી પોતાની વાત કહેતા, એ મારા પિતા હતા.

ૠતુના પ્રહારો વેઠીને જે અર્થોપાર્જન અર્થે જતા,
કમાઈને જે ઘરને ચલાવતા, એ મારા પિતા હતા.

ભાગ લાવતા, ફરવા લઈ જતાને ચિંતા અમારી જેને
સંઘર્ષ વેઠી હિત સૌનું વિચારતા, એ અમારા પિતા હતા.

- ચૈતન્ય જોષી. 'દીપક ' પોરબંદર.

Read More

ઘરનું છત્ર બનીને જે રહેતા, એ મારા પિતા હતા.
ના કશી પણ ફરિયાદ કરતા, એ મારા પિતા હતા.

ના કદીએ માત્ર પોતાનું એ વિચારતા ક્યારેય પણ,
કુટુંબભાવનાથી જે જીવતા, એ મારા પિતા હતા.

સૌની જરૂરિયાત પૂરી કરવા એ પ્રયત્નશીલ રહેતા,
ના કદી પોતાની વાત કહેતા, એ મારા પિતા હતા.

ૠતુના પ્રહારો વેઠીને જે અર્થોપાર્જન અર્થે જતા,
કમાઈને જે ઘરને ચલાવતા, એ મારા પિતા હતા.

ભાગ લાવતા, ફરવા લઈ જતાને ચિંતા અમારી જેને
સંઘર્ષ વેઠી હિત સૌનું વિચારતા, એ અમારા પિતા હતા.

- ચૈતન્ય જોષી. 'દીપક ' પોરબંદર.

Read More

ઉરની ભાષા નયન ના ઉકેલી શક્યાં.
શું કહે છે ઉર એટલું ના સમજી શક્યાં.

ભાષા દેહની વાંચવામાં લોચન ભૂલ્યાં,
સન્મુખ હોવા છતાં ના અર્થ કાઢી શક્યાં.

ઉરની અંદરની લાગણી અશ્રુ થૈને વહી,
તોય ચક્ષુઓ કશુંએ ના વળી કહી શક્યાં.

બની મૂક પ્રેક્ષક એ અશ્રુઓ સારતાં રહ્યાં,
અંતર્વેદનાથી અલિપ્ત ના કશું ગ્રહી શક્યાં.

દેહભાષા બધાને સમજાય એ જરુરી નથી,
નેત્ર એ નેત્ર રહ્યાં કદી ના અવાજ બની શક્યાં.

- ચૈતન્ય જોષી. 'દીપક' પોરબંદર.

Read More

વરસવામા વિલંબ કરવો એ હવે તને શોભતું નથી.
આવી જા અનરાધારે જળ વિના ધરાને ગમતું નથી

ખાલીપો નદીનાળાંને સરોવરોનો જોયો જાતો નથી.
વરસાવી નીરને ભરી દે એને તને કીધું કૈ અમથું નથી.

દશા તો જો કિસાનોની અને આ અબોલ પશુઓની,
સત્વરે વરસી જા મનમૂકીને કે પછી તને‌ દેખાતું નથી.

જોને આભેથી અગન વરસાવે સૂર પણ‌ નિર્દય બની,
ઠેરઠેર 'પાણીપાણી' ના પોકારો પડતા એ જોવાતું નથી.

ધરા પણ‌ પોકારી ઉઠી છે ' ત્રાહિમામ્ ' અગનઝાળે,
ઠારી દે સાંબેલાધારે આવીને તને કાંઈ બસ‌ થતું નથી?

- ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.

Read More

વેદના કિસાનોની વાંચીને તું આવને હવે.
મૂકપશુની દશાને જોઈને તું આવને હવે.

નથી દેખાતા ખાલીખમ નદીનાળાં આજે?
દેવ પર્જન્ય રહ્યા મનાવીને તું આવને હવે.

ઠેરઠેર સૂરજ કાળોકેર વર્તાવે અગન ઘટીને,
દશા અવની તણી વિચારીને તું આવને હવે.

મંડાઈ જા ઘટાટોપ ઘન નભોમંડળે ચોમેર,
અમી શાં નીર ભરી લાવીને તું આવને હવે.

ધગધગતી ધરાની યાતના છે વણકહી મેઘ,
આભેથી ઊતરી દે છલકાવીને તું આવને હવે.

પ્રતિક્ષાની છે પરાકાષ્ઠા સહુને અકળાવનારી,
સાંબેલાધારે વારિ વરસાવીને તું આવને હવે.

-ચૈતન્ય જોષી. 'દિપક' પોરબંદર.

Read More

ક્યારેક એ ધબકારો ચૂકી જાય છે હૃદય.
યાદ એની એ બસ મૂકી જાય છે હૃદય.

આમ તો મનની ગણતરી મુજબ ચાલે,
સ્વાર્થના હિસાબથી વલોવાય છે હૃદય.

કપટ કાવાદાવા ને કાવતરા વિષય નથી,
પ્રાર્થનાના વિષયમાં ફાવી જાય છે હૃદય.

'જીવો અને જીવવા દો' એ સૂત્ર છે હૃદયનું,
વેરઝેરની વાતમાં છટકી કેવું જાય છે હૃદય.

બદલો લેવાનું જાણે કદી ફાવતું નથી એને,
સામે-નાને બદલાવીને પછી હરખાય છે‌ હૃદય.

-ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.

Read More

આવજો કહેવાનું નહીં ગમે.


વિદાય લેવાની પ્રભુ પુરુષોત્તમને,
તમને આવજો કહેવાનું નહીં ગમે.
ભજન કીર્તન હજુએ કાનમાં રમે ,
તમને આવજો કહેવાનું નહીં ગમે.

આનંદ છવાયો પ્રભુના આગમને,
સ્ફુરી ભક્તિ કેવી પ્રત્યેક જને જને.
વરસવાનું થયું આજે સહુની આંખને,
તમને આવજો કહેવાનું નહીં ગમે.

ધરતી પર સાકેત છવાયું જાણે કેવું!
રોજ રોજ ભજન કીર્તનને માણવાનું.
વેદના વિદાયની પ્રભુ આજે અંતરને,
તમને આવજો કહેવાનું નહીં ગમે.

પુણ્ય સંચય થયો પુરુષોત્તમ માસમાં,
ભક્તિ કરી સહુએ આપના વિશ્વાસમાં,
પુનઃ પધારજો સ્વીકારીને આમંત્રણને,
તમને આવજો કહેવાનું નહીં ગમે.

- ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.
-

Read More

ક્યાં બધી વેદનાઓ આકારી શકાય છે કાગળમાં?
ક્યાં બધી યાતનાઓ વર્ણવી શકાય છે જાહેરમાં?

ક્યારેક જબાન પણ મૂંગીમંતર બની બેસતી કદી,
ક્યાં બધી ભાવનાઓ કહી શકાય છે અરસપરસમાં?

અંતરથી પણ ક્યારેક અંતર રાખવું જરુરી લાગતું,
ક્યાં બધી લાગણીઓ સહી શકાય છે ઉર પરિસરમાં

મઠારીને કહેવાતી વાતોમાં અસલિયત હોય કેટલી ?
ક્યાં બધી ઊર્મિઓને સંઘરી શકાય છે દિલના દ્વારમાં?

નથી જોઈ જાતી દશા એ ઘવાયેલાં ઉરની કસમયે,
ક્યાં બધી ચાહતને વિદારી શકાય છે ગાતાં હૃદયથી?

-ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.

Read More