પ્રિય વાચકો.
આપ સૌને એ જણાવતાં આનંદ અનુભવું છું કે સ્વતંત્ર લેખિકા તરીકેનું મારું બીજું પુસ્તક 'સફળતાનાં સોપાનો' તારીખ 15 જૂન 2026નાં રોજ મારા હાથમાં આવ્યું છે.😊
આપ સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર કે જેઓ મને સતત લખવાની પ્રેરણા આપતાં રહે છે. આમ જ વાંચતાં રહેજો અને પ્રોત્સાહન પૂરું પાડતાં રહેજો.😊
સાથે સાથે આભાર માનીશ 'પેન પીપલ પબ્લિકેશન' અને એનાં સંચાલક શ્રી જયદીપભાઈ પંડ્યાનો. હરહંમેશ નવોદિત લેખકોને એમનાં પુસ્તકોમાં સહલેખક/લેખિકા તરીકે લખવાની તક આપે છે. ઉપરાંત નવોદિતોને પણ સ્વતંત્ર રીતે પોતાનું પુસ્તક પ્રકાશિત કરી આપવા તૈયાર રહે છે.
ફરીથી સૌનો અંતઃકરણપૂર્વક આભાર.😊🙏