આત્મચિંતન
ખરેખર જીવન સમજવા કરતાં જીવવામાં વધુ મજા છે.
જીવનનું મહત્વ એક શીખ છે, અને આ શીખવું એ એક પ્રક્રિયા છે.
એ કદાચ એક ઝટકા સાથે તરત મળે અથવા ઘણો સમય જાય પણ આપણે ઠેરના ઠેર રહીએ...
તો, મને પણ આવી કેટલીક શીખ મળી છે, જેના પરથી મારો જીવન વિશેનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે...
એ અનુભવ હજુ પણ એવો જ અકબંધ છે...
મમ્મી ત્યારે વેન્ટિલેટર પર હતા, અને મારા જીવન વિશેના વિચારો ધરમૂળથી બદલાઈ ગયા...
એવું કશું જ હોતું નથી જે પળભરમાં આપણી પાસેથી છીનવાઈ ન શકે...
જેમકે આપણો શ્વાસ, આપણો આત્મા, આપણું શરીર, એ શરીર જે મૃત્યુ પછી ફક્ત એક ડેડ બોડી છે!
હોસ્પિટલમાં પણ મને આવા જ વિચારો આવતા. એ ચમત્કાર જ હતો કે તે બચી ગયા...
અને મને મારા સવાલોના જવાબ મળી ગયા...
અત્યારે મારા માટે આધ્યાત્મિકતા એ ખુલ્લું આકાશ છે જ્યાં આપણે આઝાદ છીએ ઉડવા માટે. અને ધરતી એ વાસ્તવિકતા. જે આપણી હકીકત ઉજાગર કરે છે કે આપણે શું છીએ... અને આ જ જીવન છે...
©નમ્રતા કંસારા 'નારાયણી'