Quotes by Jaya Jani TalaJa Jiya in Bitesapp read free

Jaya Jani TalaJa  Jiya

Jaya Jani TalaJa Jiya

@davejayaben809394


"ચા યમલોકમાં"
---------------------
આવ તું મારી કબર પાસે.
આવજે ચાની કીટલી સાથે.
હશે,ચા માત્ર એક કીટલી.
અમને લાગશે સાગર જેટલી.
હું પીઈશ ને.........
પાઈશ યમલોકમાં બધાને.
ચા.... ચા....ચા.....
🖊️જયા.જાની.તળાજા."જીયા"

Read More

જીવનમાં મેં,ભોગવી ઐયાશી.
ન ફાવે મને,મોતની ઐયાશી.
હું ભર નિંદ્રામાં, ને ઘર આખું મટકું ન મારે.
જયા.જાની.તળાજા."જીયા"

Read More

"બા ની બંદગી"
------------------
સૌના જીવનમાં હતાશા છવાઈ.
પડી હતી એ રાત,ને ખૂબ લંબાઈ ગઈ.
બોલતી નહીં,બા બચત એમ કરતી.
નવાં નવાં કપડા બાળકોને,
ને બાની સાડી,થીગડે વીંટાઈ ગઈ.
ધૂવે કપડાં બા,બધાનાં બગલાની પાંખ જેવાં.
કીમિયો એનો,લાગે સાડીને,સાબુનાં સપોતરા દેવાં.
અપનાવ્યું પોતે જીવન સંઘર્ષ વાળુ,
ને બાળકોને દોલત આપી ગઈ..
હયાત હતી,હેત વાળી બા.
એક હતું કુટુંબ,ને મમતા નેક હતી.
ભારુને ભેગા રાખતીને,ભવ એમ ભાંગતી.
બા ગયાં,બારણાં ગયાં,સૌ મૌકળા થયાં.
હતી અકબંધ ભીંત,ને ત્યાં બાની છબી મુકાઈ ગઈ.
ગીતાનાં પાઠ,બા વહેલી સવારે વાંચતી.
અમને સૌને લાગતી,એ પ્રાર્થના કરતી.
બાનાં ગયા પછી,એની દિવ્યતા સમજાઈ ગઈ.
કર જોડી,કરતાં કુટુંબની પ્રાર્થના બા સાથે મળી.
બા ગયા,ને બંદગી બદલાઈ ગઈ.
પ્રભુની સ્તુતિને બદલે,બાની ધૂન ગવાય ગઈ.
બા,માતૃદેવ બની દિલમાં છવાઈ ગઈ.
ને,બાને શ્રાધ્ધામાં ભાવાંજલિ અપાઈ ગઈ.
🖊️ જયા.જાની.તળાજા."જીયા"

Read More

" ચા ના રિસામણાં "
-----------------------
ચા તો, રોજ પીવાતી.
પણ,કિંમત એની ના થાતી.
લીધા ચા એ,રિસામણા.
અનેક ઉપાયથી,.....
થવા લાગ્યા ચા નાં મનામણાં.
કાશ,!આજ ચા,માફક આવી જાય.
સંતોષ ચા પીધા નો છવાય જાય.
🖊️ જયા.જાની.તળાજા. "જીયા"

Read More

ધન,દોલત કે સ્વર્ગ નથી.
ચા તો,સ્ફૂર્તિનું નજરાણું છે.
ન આવ્યું અમને નજર.
લાગે છે,કોઈ થી નજરાયું છે.
🖊️ જયા.જાની.તળાજા. "જીયા"

Read More

જાણીતી લેખિકા અને કવિયત્રી જયા.જાની.તળાજા."જીયા"

જાણીતી લેખિકા અને કવિત્રી જયા.જાની.તળાજા." જીયા"

"શું કહેવાય.?"
આવે છે,જાય છે,શ્વાસ..
પણ કેવી રમત કરી જાય છે.?
શું આને જ જીવન કહેવાય છે.?
જાય શ્વાસ ને શરીર શિથિલ થાય છે.
એક એક ઘટક માંથી ચેતના જાય છે.
શું આને જ મૃત્યુ કહેવાય છે.?
આયુષ્યનું અવલોકન આમ થાય છે.
જન્મ મૃત્યુ સુધીનો મંડાય સરવાળો.
શું આને જ કહેવાય ઉંમરનો ગાળો.?
શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય.
ગરીબોના ભોજનમાં ટીપુ તેલ ન દેખાય.
શું આને સમાજની અસમાનતા ન કહેવાય.?
પુત્ર નો જન્મ થયો પેંડા વેચાય.
પુત્રી જો જનમે,.......
માથાકૂટ,તકરાર ને પરિવારમાં યુદ્ધ થાય.
શું આને સંસારની ભેદ રેખા ન કહેવાય.?
વ્યભિચારી,અત્યાચારીનો જય જય કાર થાય.
સ્ત્રીની હાલત દયનીય ને નાજુક થાય.
શું આને કલિયુગની શરૂઆત ન કહેવાય.?
🖊️ જયા.જાની.તળાજા."જીયા"

Read More

પાંપણ ની છાપ

તારા મારા ની પરખ