જીવનમાં અત્યાર સુધી ઘણું બધું જતું કર્યું અને અપમાન સહન કરીને પણ અન્ય લોકોના કામ કર્યા. હવે થાક લાગ્યો છે.
નાનામાંથી જ્યારે મોટા થયા એટલે ઘરની જવાબદારીઓ અને કમાવાની ઉંમર ના લીધે જે સપનાઓ તૂટ્યા અને પોતાના માટે જે જીવવાનું રહી ગયું એની હિસાબ તો ક્યારેય કર્યો જ નહોતો.
આજે વિચારું છું તો અફસોસ પણ થાય છે અને આ જ પરિસ્થિતિ ઉપર ગુસ્સો પણ આવે છે . પરંતુ હવે આનો કોઈ મતલબ નથી. હવે થાકી ગયો છું એટલે થોડા આરામની જરૂર છે.
અને એટલે જ હવે જીવનમાં એક દિવસ કોઈને પણ કહ્યા વગર જ નિરાંતે મારા જીવનના આ સફર ને અહી વિરામ આપવો છે....
રાહગીરની કલમે થી....