લેખક
( ભાવના એમની જે બીજા ની ભાવના લખે છે..)
દરેક વ્યક્તિ પોતાના જીવનની એક વાર્તા જીવે છે...
કોઈ તેને મનમાં જ દફનાવી દે છે,
કોઈ આંખોમાંથી વહાવી દે છે,
કોઈ મૌનમાં છુપાવી દે છે...
અને એક લેખક...
એ જ વાર્તાને શબ્દોનું જીવન આપી દે છે.
એટલે લેખકનો અર્થ માત્ર લખવું નથી.
લેખકનો અર્થ છે...
કોઈના મનને સમજવું,
કોઈના દુઃખને શબ્દ આપવો,
ભૂલાતી પરંપરાને જીવંત રાખવી,
ઇતિહાસને સાચવવો,
અને આવનારી પેઢી માટે વિચારોનો વારસો છોડી જવો.
શબ્દો ક્યારેય જ્ઞાનનું પ્રદર્શન નથી કરતા,
શબ્દો તો અનુભવની સાક્ષી આપે છે.
જેને વાંચવાની આદત હોય,
તેને દરેક લેખમાં એક નવો વિચાર મળે છે.
અને જેને માત્ર ટીકા કરવાની આદત હોય,
તેને દરેક શબ્દમાં માત્ર ઉપદેશ જ દેખાય છે.
લેખકનો હેતુ પોતે મહાન બનવાનો નથી,
પણ શબ્દોને એટલા અર્થપૂર્ણ બનાવવાનો છે કે વર્ષો પછી પણ કોઈ તેને વાંચીને કહી શકે—
"આ શબ્દો આજે પણ એટલા જ સાચા લાગે છે."
દિકરી ની કલમે ✍️
written by Devi thakkar 🧿