Gujarati Quote in Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વિષય: ઘાયલ, શિર્ષક: "ખબર ના પડે"

​(મત્લા)
બહાર હાસ્ય છે, કે અંદરથી કોઈ ઘાયલ છે, ખબર ના પડે,
ક્યાંક જીવવાની તમન્ના છે, દિલ ઘાવ છે, ખબર ના પડે.

​સપના તુટે, આશાઓ વિખરાયેલી ગઝલ બને, એ જિંદગીનો ભાગ બને,
એની યાદોનાં પુસ્તકોનો એ કકળાટ છે, ખબર ના પડે.

​આંખમાં ભલે હોય અશ્રુની ધારા, છતાંય એ મલકતો હોય એવું બને,
કેમ કે દુનિયાની મહેફિલમાં એ રંગાયો, માટે કોઈને ખબર ના પડે.

​રોજ મુક્ત પંખી બની ઊડતો એ આ ગગનમાં કાયમ એવું રોજ બને,
ને એ પિંજરામા કેદ હોય, એની કોઈને ખબર ના પડે.

કે ​આ ઘાવ જ છે તાકાત સૌની, ને દર્દ જ સૌની ઓળખ બને,
કોઈ પણ સંજોગોમાં ભગવાનનો ઓથાર હોય પણ ખબર ના પડે.

​(મક્તા)
'નવી સવાર'ની આશ લઈ જીવી રહ્યો છે, એજ છે માણસ,
કે 'આત્મ'ના હૃદયમાં નિરાશાના ભારની ભયાનકતાની ખબર ના પડે.

બહાર હાસ્ય છે, કે અંદરથી કોઈ ઘાયલ છે, ખબર ના પડે,
ક્યાંક જીવવાની તમન્ના છે, દિલ ઘાવ છે, ખબર ના પડે.

અશ્વિન રાઠોડ ("સ્વયમ ’ભુ’")

Gujarati Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 112006528
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now