અણુશક્તિનો પ્રથમ નરબલિ
અણુયુગનો સર્વપ્રથમ અકસ્માત ૧૯૪૫માં બન્યો હતો.
અમેરિકાએ તેનો પહેલો અણુબોમ્બ જ્યાં
તૈયાર કર્યો તે લોસ અલામોસ નામની
પ્રયોગશાળામાં ફરજ બજાવતો
અણુવિજ્ઞાની યુરેનિયમના બે ચક્કાને
એકમેકની નજીક લાવવાની ભૂલ કરી
બેઠો. નિયમ એવો છે કે યુરેનિયમનો ચક્કો
અમુક મિનિમમ કદનો અર્થાત્ critical
જથ્થાનો ન હોય તો વન-બાય-વન
અણુના વિભાજનની ચેઇન રિએક્શન શરૂ
થાય નહિ. બન્ને ચક્કા મિનિમમ કરતાં
નાના કદનાં subcritical હતા, માટે
અણુવિજ્ઞાની નિશ્ચિંત હતો.
યુરેનિયમના બે subcritical ૫રસ્પર
નજીક લાવો તો તેમની વચ્ચે આંતરક્રિયા
થાય અને ચક્કા જાણે બે નહિ, પણ સિંગલ
તેમજ critical હોય એમ તેમની વચ્ચે
આપસમાં ન્યૂટ્રોનનો મારો ચાલે. ૧૯૪૫માં અણુશક્તિને
લગતું સાયન્સ હજી નવુંસવું ખેડાતું હતું.
અણુવિજ્ઞાની યુરેનિયમનો ગુણધર્મ જોવા
માટે જાણતા કે પછી અજાણતા બે ચક્કાને
નજીક લાવ્યો કે તરત ન્યૂટ્રોનનો ધોધ
વછૂટ્યો અને કિરણોત્સર્ગનો તે અદૃશ્ય
મારો જીવલેણ બન્યો. અણુશક્તિએ પહેલો
નરબિલ લીધો, માટે દુર્ઘટના પછી થોડીક
આત્મખોજ જરૂરી હતી. આમ છતાં તે
બનાવને ખાસ મહત્ત્વ અપાયું નહિ, કેમ
કે અણુવીજળીના મથકને બદલે
અણુબોમ્બની પ્રયોગશાળામાં અકસ્માત
થયો હતો અને શસ્ત્ર તરીકે અણુબોમ્બ તો
આમેય મોતનો સામાન લેખાતો હતો.
https://www.facebook.com/share/1B2zUQg8G4/