વીર શહીદ સેનાપતિ આસો નિંજાર
ગુજરાતનો મોટો વિસ્તાર રોકીને પડેલાં કચ્છનો ભાતીગળ ઈતિહાસ છે.
અબડા જામની રિયાસતનું ઘરેણું ગણાતાં એવા ઓરસીયો મેઘવાળ ની વાત
વીર શહીદ સેનાપતિ આસો નિંજાર (મહેશ્વરી) ની સામાન્ય સૈનિક તરીકે જોડાયેલા આસો નિંજારે પોતાની કુશળતાનાં બળે અબડા અડભંગના વિશ્વાસુ તરીકે સ્થાન મેળવી તેમના સેનાપતિ તરીકે અનેક મહત્ત્વનાં કાર્યો થકી ઈતિહાસમાં સ્થાન મેળવ્યું છે .
અબડાસાનાં વડસરના જામ જખરોજ કે, જે અબડા અડભંગ તરીકે જાણીતા છે, એમની અનેક વાતો ઈતિહાસમાં નોંધાઈ છે, પરંતુ તેમના સેનાપતિ એવા આસો નિંજારને બહુ ઓછા લોકો જાણે છે.
આસો નિંજાર એ ઓરસિયા મેઘવાળ તરીકે પણ જાણીતા હતા. મહેશ્વરી મેઘવાળ સમાજના ધર્મગુરુ પ. પુજ્ય શ્રી મામૈઇ દેવની તેજઆભાથી તે તેમના રંગે રંગાયા અને પ. પુજ્ય શ્રી મામૈદેવના પરમ ભક્ત બની ગયા. કચ્છની પરંપરા અનુસાર પ. પુજ્ય શ્રી મામૈઇ દેવે જ વડસરના જામ જખરોજીની રાજતિલક વિધિ કરી હતી.
આસા નિંજારને એક વખત શ્રી મામૈઇ દેવ પોતાની સાથે જામ જખરોજી પાસે તેમના દરબારમાં લઈ ગયા અને આસોનો હાથ જખરોજીના હાથમાં સોંપી તેને લશ્કરમાં સ્થાન આપવા ભલામણ કરી. જખરોજીએ આસાને લશ્કરમાં સ્થાન આપી તેને તાલીમબદ્ધ કર્યાં, આસોએ પણ થોડા જ સમયમાં પોતાની કુશળતા અને શોર્યબળે જખરોજીનું મન જીતી લીધું, આથી થોડી અદેખાઈના પણ તે ભોંગ બન્યા, પણ જામ જખરોજના ચાર હાથ તેના પર હતા.
આસોના એ સમયના પહેરવેશનું વર્ણન કચ્છના જાણીતા લેખક કાનજીભાઈ મહેશ્વરીએ કર્યું છે એ મુજબ કડાબેર ચેણી, તેના પર ધોતિયું, ખમીસ ઉપર કોટ, વટવાળી કચ્છી પાઘડી, પગમાં દેશી અણીવાળા બૂટ, ભેટમાં કટાર અને હાથમાં તલવાર. સાથે આંખમાં શૂરવીરતાનું તેજ અને મૂછોમાં વટ. આમ મરદ મૂછાળો આસો ચાલ્યો આવે તો પણ દુશ્મનના છક્કા છૂટી જાય!
એ અરસામાં એટલે વિક્રમ સંવત ૧૩૫૨ ઈ.સ. ૧૨૯૬ માં સિંધના નગરસમે રાજના ભુંગર સૂમરાનું અવસાન થતાં સિંધની ગાદી માટે ઘોઘા અને ચનેસર વચ્ચે ક્લેશ શરૂ થયો અને સિંધની ગાદી મળી ચનેસરને ઘોઘાને પોતાને અન્યાય થયો હોવાની લાગણી થતાં તે મદદ માટે દિલ્હીના સુલતાન અલ્લાઉદ્દીન પાસે ગયો. આ સમાચાર કચ્છમાં જામ જખરોજીને મળતાં તેમને પણ આઘાત લાગ્યો, પણ ચનેસરને સમજાવે કોણ?
ચનેસરને પાછો વાળવો એ વાઘની બોડમાં હાથ નાખવા બરાબર હતું. આસો નિંજારે આ વિકટ કાર્ય પાર પાડવા પોતે તૈયાર હોવાનું જણાવ્યું. જામ જખરોજીએ આસાની પીઠ થપથપાવી, શાબાશી આપી અને કામ ફતેહ કરવા આજ્ઞા કરી. જામ જખરોજીએ આસો સાથે એક ગુપ્ત સંદેશો મોક્લાવ્યો. પખીરાણી તેજી ઘોડી પર સવાર થઈ આસો નિંજાર દિલ્હીની વાટ પકડે છે.
અલ્લાઉદ્દીનને ચનેસરને સિંધની ગાદી અપાવવાની લાલચમાં દિલ્હીમાં જ રોકી રાખ્યો અને મોજશોખમાં મસ્ત ચનેસર પાસે અલ્લાઉદ્દીને સિંધની ગાદીના બદલામાં સિંધની રૂપરૂપનો અંબાર સમાન રાજકુંવરીઓ અને અપ્સરા સમાન પોતાની બહેન સુભગા અલ્લાઉદીનને સોંપવા ખાતરી મેળવી લીધી. આ તરફ આસો નિંજાર દિલ્હી આવી પહોંચ્યા અને દિલ્હીની મોલાતની દાસી હસીનાં માધ્યમથી ચનેસરને મળીને જામ જખરોજીનો સંદેશો આપે છે. આ સંદેશામાં જામ જખરોજીએ ચનેસરે સિંધની ગાદી મેળવવા જે માર્ગ અખત્યાર કર્યો છે, તે કેટલો ઘાતક અને અધર્મી છે તેની વાત કરી તેને પાછો ફરવા સમજાવવા પ્રયાસ કર્યો હતો. આમ છતાં ચનેસરે પરત ફરવા ઈન્કાર કરતાં આસો ખાલી હાથે કચ્છ પરત ફર્યા.
https://www.facebook.com/share/p/LvW9aeFKHJ4CbGZi/?mibextid=oFDknk