Gujarati Quote in Blog by yeash shah

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અંકશાસ્ત્ર પ્રમાણે તમારા જન્મ ના વર્ષ નું સિંગલ ટોટલ કરતા જે અંક મળે એ તમારા જીવન માં આવતા લોકો અને તેમની સંગત વિશે જણાવે છે. દાત : જન્મ વર્ષ 1993 (1+9+9+3)=22(2+2)=4
આમ મારા જીવન માં સંગત નો અંક 4 છે.
આમ તમે પણ પોતાનો સંગત અંક મેળવી આ પ્રમાણે સાવધાની રાખી શકો છો.
જો તમારો સંગત અંક
1 હોય તો : તમારા જીવન માં એવા વ્યક્તિઓ આવી શકે જે ખૂબ પ્રતિભા સંપન્ન અને પ્રભાવશાળી હોઈ શકે. તમે આંધળી મહત્વાકાંક્ષા અને અંધ અનુકરણ થી બચી ને રહેશો.
2: તમને ભાવુક, સંવેદનશીલ અને કલ્પના માં વિચરણ કરતા લોકો વધુ મળી શકે. સંગ નો રંગ તમારા પર ઝડપથી ચડે છે.
3: જ્ઞાની, ડહ્યા , સમજુ લોકો ના સંગ થી આગળ વધો.
4: સ્વાર્થી, લુચ્ચા અને લંપટ લોકો નો સંગ મળે. ટેકનોલોજી ના નકારાત્મક ઉપયોગથી બચવું. ચતુર અને સફળ લોકો નો સંગ પ્રગતિ આપે.
5: સ્વાર્થી અને વ્યહવારિક લોકો નો સંગ મળે. ચારિત્ર્ય ની બાબતો માં સાવધાન રહેવું.
6: વિજાતીય પાત્રો ના સંગ માં વધુ સંવેદશીલ થાવ તો નુકશાન ભોગવવા નો વારો આવે.
7: મસ્તીખોર અને મોજીલા લોકો નો સંગ મળે. વધુ પડતી ભાવુકતા થી બચવું.
8: સંગત ની બાબત માં સાવધાન રહેવું. તમારી જેવી બુદ્ધિ હશે એવો સંગ મળશે.
9: મદદગાર અને સેવાભાવી લોકોનો સંગ મળે. ઝગડા અને વિવાદ થી બચવું.

એક Numerologist તરીકે મારી પ્રેક્ટિસ માં મે આ પ્રકારની પેટર્ન જોઈ છે. આ વિશે મત મતાંતર હોઈ શકે. સલાહ સૂચનો આવકાર્ય છે. પણ વિવાદથી દૂર રહેવાનો પ્રયત્ન કરું છું.

Gujarati Blog by yeash shah : 111937247
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now