#ખુલાસો

મારી દ્રષ્ટિએ જે સંબંધમાં આપણે ખુલાસો કરવો પડે એ સંબંધ જેટલો ઝેરી સંબંધ બીજો કોઈ નથી હોતો. ખુલાસો એ સંબંધમાં ભળતું એક પ્રકારનું એવું ધીમું ઝેર છે જે ધીમે ધીમે ચડે છે અને અંતે એક દિવસ એ મોતને નોતરું આપે છે.

જે સંબંધમાં વિશ્વાસનો અભાવ હોય છે ત્યાં જ ખુલાસો કરવો પડે છે અને વિશ્વાસ વિનાનો સંબંધ તો આમ પણ પાયા વિનાની ઈમારત જેવો હોય છે.

-પૃથ્વી ગોહેલ
તા. ૧૦/૦૪/૨૦૨૪, બુધવાર

Gujarati Quotes by Dr. Pruthvi Gohel : 111926526
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now