તું વાદળ થઈને વરસે તો ગમે.
દીનહીન કાજે ખરચે તો ગમે.
ના લપાવું કે છૂપાવું તને શોભે,
તું સાવજ થૈને ગરજે તો ગમે.
કરી છૂટ કૈં માનવતા હોય જેમાં,
ઊભો રહે સત્ય પડખે તો ગમે.
પરમેશ પામવાનું લક્ષ્ય આપણું,
દરશન પામવાને તરસે તો ગમે.
નથી થવાનું દેવ તારે પૂજાવાને,
માણસ તરીકે ઓળખે તો ગમે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.