માનવજીવન છે પચરંગી.
સદાકાળ રહે સત્યનું સંગી માનવજીવન છે પચરંગી.
નૈરાશ્ય હટાવે આશા રંગી માનવજીવન છે પચરંગી.
હર્ષ- શોકના વહેતા વમળમાં ના પડે માનવતા તંગી,
સ્નેહ સુંવાળપ રહે સદા જંગી માનવજીવન છે પચરંગી.
વધે પરસ્પર હેતભાવને આતમ રહે હરિવર સંગી,
ના પ્રવેશે વિકૃતિ કદી કઢંગી માનવજીવન છે પચરંગી.
દયાભાવ રહે દિલમાં નિરંતર દાનપુણ્યે વાચા મૂંગી,
રત રહે રામમાં જે મનતરંગી માનવજીવન છે પચરંગી.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.