News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.
વર્ષાની વિદાય અને શરદનું આગમન એટલે ભાદરવો. દિવસે ધોમ ધખે અને મોડી રાત્રે આછું ઓઢીને સુવું પડે એવો ઠાર પડે. આયુર્વેદાચાર્યો કહી ગયા છે કે વર્ષામાં પિત્તનો સંગ્રહ થાય અને શરદમાં તે પિત્ત પ્રકોપે. આ પ્રકોપવું એટલે તાવ.
ભાદરવાના તાપ અને તાવથી બચવા ત્રણ-ચાર ઘરગથ્થુ પ્રયોગો
(૧) ભાદરવાના ત્રીસે દિવસ રોજ રાત્રે સુતા પહેલાં સુદર્શન/મહાસુદર્શન ઘનવટી - ૨-૩ ટીક્ડી ચાવીને નવસેકા ગરમ પાણી સાથે લેવી.
(૨) અનુકૂળતા હોય તો ભાદરવાના ત્રીસે દિવસ દુધ -ચોખા-સાકરની ખીર અથવા દુધ-પૌવા ખાવું. ગળ્યું દુધ એ વકરેલા પિત્તનું જાની દુશ્મન છે. આ હેતુથી જ શ્રાદ્ધપક્ષમાં ખીર બનાવવાનુ આયોજન થયું હતું.
(૩) જેની છાલ પર કથ્થાઇ/કાળા ડાઘ હોય એવા પાકેલ કેળાંને છુંદીને એમાં સાકર ઉમેરી બપોરે જમવા સાથે ખાવાં. જો ઇચ્છા હોય તો ઘી પણ ઉમેરવું. પણ કેળાં સાથે ઘી પાચનમાં ભારે થાય. એટલે જો ઘી ઉમેરો, તો પછી બે એલચી વાટીને ઉમેરી દેવી.
_(જો ખીર અને કેળાં - બન્નેનો પ્રયોગ કરવો હોય તો કેળાં બપોરે અને ખીર સાંજે એમ ગોઠવવું.)_
(૪)ભલેચુકે ખાટી છાશ ન જ પીવી. ખુબ વલોવેલી, સાવ મોળી છાશ લેવી હોય તો ક્યારેક લેવાય.
(૫) ઠંડા પહોરે (વહેલી સવારે કે સાંજે) પરસેવો વળે એટલું ચાલવું.
(ઠંડી અને ચાંદની રાતમાં રાસગરબાના આયોજન પાછળનું રહસ્ય આ જ હતું - પરસેવો પડે)
આચાર્યોએ શરદને રોગો ની માતા કહી છે - रोगाणाम् शारदी माता. અને
' યમની દાઢ ' પણ કહી. આપણામાં એક આશીર્વાદ પ્રચલીત હતો.
शतम् जीव शरदः એટલે કે આવી સો શરદ સુખરુપ જીવી જાઓ એવી શુભેચ્છા આપવામાં આવતી. અસ્તુ.
*આ લેખ બધાને કામ લાગે તેવો છે. માટે સૌને ખાસ SHARE કરજો હો.*
_सर्वे भवन्तु सुखिन: सर्वे सन्तु निरामयाः_
આ શાસ્ત્રોક્ત માહિતી જેની કદાચ આપણા તમામ ગુજરાતી પરિવાર ને ખબર નહિ હોય તેનાથી તેમને રૂબરૂ કરાવી આપડા અધ્યાત્મ ને કેમ સમય સમયાંતરે ઋતુઓ સાથે જોડી લોકોને નિરોગી રાખવાનો સફળ પ્રયાસ કરેલો તેને આપડે આગળ વધારીએ. લોકોની જેમ સમાજસેવા નહિ કરી શકાય, પણ આ જાણકારી આપીએ તો એક સેવા જરુર થઈ જશે.. આવો આપડે આને આપડી ફરજ સમજી નિભાવીએ એજ પ્રાર્થના...