સુહાગન બનીને સપ્તપદીના વચનો થી બંધાઈને
તારા સાથે ચાલી હતી..
સેવ્યા હતા સપના આપણે કે
સથવારે આજીવન વ્યતિત કરશું..
પણ વિધિની હતી કંઈક જુદી જ વક્રતા
કે એ સપના તુટ્યા આપણા...
જીવનની એ છેલ્લી ક્ષણો સાથે વિતાવશુ એવું વિચાર્યું હતું આપણે
પરંતુ,બસ તારી યાદોના સથવારે જીવવું પડશે મારે એ વિચાર્યું ન હતું..
પકડી અનંતની વાટ જો ને તે...
હવે જોગણ બની ને આ ભવસંસાર તરીશ...
બસ તારી જ બની ને રહીશ હું..... બિંદુ અનુરાગ
૧૩/૦૬/૨૧
-Bindu _Anurag