ભાગ્ય ની ચાવી:પરિશ્રમ અને મહેનત
એક ખમણ વેચવા વાળો હતો, જે ખૂબ વાતોડિયો પણ રમૂજી હતો.જયારે પણ ખમણ ખાવા જાઓ ત્યારે એમ લાગતું કે એ આપણી જ રાહ જોઈ રહ્યો છે. દરેક વિષય પર એને વાત કરવામાં મજા આવતી.ઘણીવાર એને કીધું કે ભાઈ મોડું થઇ જાય છે જલ્દી ખમણ સેવની પ્લેટ બનાવી દે પણ એની વાતો ખતમ જ થતી નહિ.
એકવાર અચાનક જ કર્મ અને ભાગ્ય પર વાત શરૂ થઇ.
"ભાગ્ય" અને "પુરૂષાર્થ" ની વાત સાંભળીને મેં વિચાર્યું કે ચાલો આજે એની "વિચારશક્તિ" જોઈએ. મેં એક સવાલ પૂછ્યો.
મારો સવાલ હતો કે માણસ પરિશ્રમ"થી આગળ વધે છે કે "ભાગ્ય" થી?
એનાજવાબે મારા મગજ ના તમામ જાળા સાફ કરી નાખ્યા.
એ કહેવા લાગ્યો કે તમારું કોઈક "બેન્કમાં લોકર" તો હશે જ? એની "ચાવીઓ" જ આ સવાલનો જવાબ છે. દરેક લોકરની "બે" ચાવીઓ હોય છે.એક ચાવી "તમારી" પાસે હોય છે અને એક "બેન્ક મેનેજર" પાસે હોય છે.
તમારી પાસે જે ચાવી છે એ "પરિશ્રમ" અને મેનેજર પાસે છે એ "ભાગ્ય".જ્યાં સુધી બન્ને ચાવી નાં લાગે ત્યાં સુધી "લોકર" નું તાળું ખુલી શકે નહિ.
એજ રીતે તમે "કર્મયોગી" પુરૂષ છો, અને મેનેજર "ભગવાન".
તમારે તમારી ચાવી પણ લગાવતા રહેવું જોઈએ. ખબર નહિ ભગવાન ક્યારે પોતાની ચાવી લગાવી દે. ક્યાંક એવું ના થાય કે ભગવાન પોતાની ભાગ્યવાળી ચાવી લગાવતો હોય અને આપણે પરિશ્રમ વાળી ચાવી ના લગાવી શકીએ અને તાળું ખોલવાનું રહી જાય.
આ "કર્મ" અને "ભાગ્ય" નું સુંદર અર્થઘટન છે.
"મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા"
🌹🙏🏻🙏🏻🙏🏻🌹