ઇન્ડિયા વિષે કશું બોલવું નથી. બોલવા કરતા અમે જોવાનું વધુ પસંદ કરીશું .
અમે કોઈ જ્યોતિષી કે મીડિયા વાળા જ્ઞાની અભણ નથી. અમે ગ્રેડ્યુએટ હોવા છતાં સરકારી નોકરી ની આવક છોડી ને દેશ , સમાજ નું કશું ભલું કરવા અમારી હોબી અપનાવેલી . ત્યારે પણ અમારા પહેલા ગુજરાત માં થી મુંબઈ આવનાર અજાણ્યા અભણ લોકો ને પણ 1400 રૂપિયા માં ડિગ્રી વગર પગાર મળેલો . જયારે અમને મુંબઈ જન્મેલા , ડિગ્રી વાળા ને, સરકારી સારો પગાર છોડી ને આવેલા ને 33 વર્ષ અગાઉ 500 શરૂઆત માં ને પછી ઉપકાર કરતા 200 ઉમેરી ને 700 પગાર આપેલો ત્યારે અમે બેવકૂફ ખુશ થયી ગયેલા . એ વિચારી ને ચાલો કદર થયી . એ જુદી વાત છે એ સંઘી ઓ પાસે થી પુરા પગાર ના પૈસા તો ના મળેલા પણ ઘર ના ટ્રાવેલિંગ માં જે ખર્ચ્યા હતા એ ત્રણ હજાર પણ ગયા . અમારી સાથે પગાર આપવા માં ને વધારવા માં ત્યારે પણ બેવકૂફી થયી હતી એ તો અમને હમણાં જ ખબર પડી. શું થાય ? ઠીક છે . દરેક ને એના કર્મ ની સજા તો મળે જ છે. અમને તો એક જ વાત સમજાય છે ગાંડુ સંઘીઓ સાથે અમારી લેણાદેણી નથી . કેમ ? એ હવે સમજાય છે. માતૃ તર્પણ અમારી જિંદગી નો મુખ્ય હેતુ બની જશે એ ત્યારે અમે ક્યાં જાણતા હતા ?
અમારા જ્ઞાન નો ઉપયોગ કોના માટે કરવો ? એ અમારી પોતાની પસંદગી ની વાત છે એટલે કે ચોઈસ ની વાત છે.
હા , એ અલગ વાત છે ચોઈસ કોને કહેવાય ? એ bigot લોકો ને ખબર ક્યાંથી હોય ?