Gujarati Quote in Quotes by Tr Mrs Snehal Rajan Jani

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે મળેલ એક મેસેજ જે મને શેર કરવા જેવો લાગ્યો:


🌹 સુંદર 10 વાતો સમજવા જેવી.🌹
*🙏૧ - ભગવાન કયારેય ભાગ્ય નથી લખતાં, જીવનના દરેક ડગલાં પર આપણો વિચાર, આપણો વ્યવહાર, આપણુ કર્મ જ આપણુ ભાગ્ય લખે છે.*
*🙏૨ - પહેલાંના લોકો લોટ જેવા હતા, લાગણીનુ પાણી નાંખી એ તો ભેગા થઈને બંધાઈ જતાં, આજે લોકો રેતી જેવાં છે, ગમે તેટલું લાગણીનુ પાણી નાખો તો પણ છૂટા ને છૂટા.*
*🙏૩ - નીતિ સાચી હશે તો નસીબ કયારે પણ ખરાબ નહીં થાય,*
*🙏બીજો માણસ આપણામા વિશ્વાસ મૂકે એ જ આપણા જીવનની સૌથી મોટી સફળતા છે.*
*🙏૪- દુ:ખ ભોગવનાર વ્યક્તિ આગળ જઈને કદાચ સુખી થઈ શકે છે, પરંતુ દુઃખ આપનાર વ્યક્તિ આગળ જઈને કયારેય સુખી થતો નથી.*
*🙏૫ - માણસાઈ દિલમાં હોય છે, હેસિયતમાં નહીં, ઉપરવાળો માત્ર કર્મો જ જુએ છે, વસિયત નહીં.*
*🙏૬ - તમે ગમે તેટલા શતરંજ ના મોટા ખેલાડી હો, પરંતુ સરળ વ્યક્તિ સાથે કરેલ કપટ તમારી બરબાદીના તમામ રસ્તા ખોલી નાખે છે.*
*🙏૭- પ્રાણ ગયા પછી શરીર સ્મશાનમાં બળે છે અને સબંધોમાંથી પ્રેમ ગયા પછી માણસ મનોમન બળે છે.*
*🙏૮ - જે જોઈએ તે મેળવીને જ જંપવુ એ કદાચ સફળ માણસની નિશાની છે, પણ જે મળ્યું હોય એમાં હસતો ચહેરો રાખીને જીવવું એ સુખી માણસની નિશાની છે.*

*🙏૯ - ઈશ્વર જયારે આપે છે ત્યારે સારું આપે છે અને નથી આપતો ત્યારે વધું સારું મેળવવાનો રસ્તો આપે છે, પણ જયારે રાહ જોવડાવે છે...ત્યારે તો સૌથી ઉત્તમ ફળ જજજ આપે છે.*

*🙏 ૧૦ - આ ચરણ તો માત્ર મંદિર સુધી જ લઈ જઈ શકે, આચરણ તો પરમાત્મા સુધી લઈ જઈ શકે...*

🌹🙏🌹

Gujarati Quotes by Tr Mrs Snehal Rajan Jani : 111745811
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now