પાંચ પતિઓ ની પત્ની હોવા છતાં પણ જેને મહાસતી ની ઉપમા આપી છે એ દ્રૌપદી ને આપણા સમાજે સિતાજી કરતાં ઓછું મહત્વ આપ્યું છે.... કારણ ???
૧. મહાભારત ને માત્ર હિંસા ની નજરે જોનારા 'ગુરુજનો' એ દ્રૌપદી ને યુદ્ધ નું કારણ બનાવી , માત્ર એટલું કહી દો કે મહાભારત ના ક્યાં પર્વ માં સતીને યુદ્ધ માટે કારણભૂત કહીં છે.
૨. રામાયણ 'નિયમાવલી' કહીં શકાય કારણકે આમાં એ બધું જ કહેવાયું છે જે સારા સમાજ ની સ્થાપના માટે જરૂરી છે જ્યારે મહાભારત કંઇક ભુલીને નવું સ્થાપવાનું કહે છે...આપણો સમાજ તૈયાર ભાણા માં માનવાં વાળો છે.
૩. સીતાજી આજની અને ભુતકાળ માં દબાયેલી બધી સ્ત્રીઓ નું પ્રતિનિધિત્વ કરતી આવી હતી જ્યારે માત્ર એક જ દ્રૌપદી એક એવી સ્ત્રી હતી જેમણે પુરુષ સમાજનો વિરોધ કર્યો હતો... હવે, જ્યાં લખવા વાંચવા વાળાં પુરુષ જ હોય ત્યાં સ્ત્રી કેમ આગળ આવી શકે.