Gujarati Quote in Blog by Bindu

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવનમાં આટલા વર્ષોના અનુભવને આધારે હું કહી શકું છું કે સંબંધોમાં વ્યક્તિના સ્વભાવની સાથે -સાથે સમય અને પરિસ્થિતિ વધારે ભાગ ભજવે છે... ઘણી વખત આપણા સ્નેહીજનો  માટે આપણે ઘણી બધી લાગણીઓ ધરાવીએ છીએ પણ જ્યારે સામેથી આપણી અપેક્ષાઓ મુજબ એ પ્રમાણે નો પ્રત્યુતર ન  મેળવી શકીએ ત્યારે આપણે એ સ્નેહીજનોને ખોટા સમજીએ છીએ કાંતો આપણે એને એ સંબંધ માટે અયોગ્ય સમજીએ  છીએ.. પણ સામેવાળી વ્યક્તિ તમને જતાવી ન શકતી હોય એનો મતલબ એવો નથી થતો કે એમના માટે એમના હૃદયમાં તમારા માટે તમારું કોઈ જ  મૂલ્ય નથી. બની શકે  કે  એ વ્યક્તિ એવી પરિસ્થિતિમાં હોય કે જેના કારણે પોતાની લાગણીઓને પ્રદર્શિત ન કરી શકતા હોય .
પણ બન્ને પક્ષે એકબીજા માટેની અનહદ લાગણી ,સમયના અભાવના કારણે ,એકબીજા અપેક્ષાઓ માટે સાચા ન ઠરવાના કારણે, બંને તરફ  એકબીજા માટે લાગણી હોવા છતાં એકબીજાને સમય ન  આપી શકતા હોવાને કારણે બંને પક્ષે  થોડી નારાજગી થાય છે અને એ સાહજિક પણ છે.
પણ તેમ છતાંય ‌સાચો સ્નેહ  હોવાના કારણે બંને એકબીજાથી દૂર  તો થાય છે પણ  બંને એકબીજા માટે જ છે.. અને એકબીજા માટે  પ્રમાણિક અને નિખાલસ સંબંધ ધરાવતા હોય છે..
વળી સંબંધોમાં પણ ઘણી વખત ખાટાં- મીઠા ઝઘડા થતા હોય છે પણ અંતે સમાધાન થાય છે એ સહજ છે.. Bindu Anurag
વળી સમયાંતરે બધું જ સારું થાય છે બંને એકબીજા  માટે સ્નેહ ધરાવતા હોવાથી અંતે એ નારાજગી પણ ખુબ ઓછા સમયમાં દૂર થાય છે અને અંતે એના સાચા સ્નેહની જ છેવટે જીત થાય છે...

06/07/21 10:35 AM

Gujarati Blog by Bindu : 111728661
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now