#દર્દ
"જ્યાં બધાની આંખો કોઈ અસહ્ય વેદના ના ભાર તળે બંધ થઈ જાય ને, હું ત્યાં પણ પલક ઝબકવ્યાં વગર ઊભી રહી છું, દર્દ ને એ દર્દ સુધી સહન કર્યું છે કે હવે એ દર્દ થી મને દર્દ નથી થતો."
બસ તો દર્દ ની આ વાત એવી જ હોય છે. પહેલાં હ્રદય ધ્રુજાવી નાંખે પછી એ દુઃખ આસું બનીને વહે, દર્દ વધતો જ જાય વધતો જ જાય અને એ સહન કરતાં આસુંઓ પણ સુકાઈ જાય છેવટે એ દર્દની આદત બની જાય. અને ત્યારે કહેવાય કે હવે એ દર્દ થી દર્દ નથી થતો!!!
માટે જે લોકો દર્દ ને સારી રીતે સમજતાં હોય, એ ક્યારેય પોતાને કોઈ ના દર્દ નું કારણ ના બનવા દે..!!