-: જીવનવ્યવહારમાં ઉપયોગી ત્રણ ગુણો :-
નિયમિતતા, ઉપયોગિતા અને વ્યવસ્થિતતા. નિયમિતતા એટલે જે સમયે નક્કી કરેલ કાર્ય કરવું. જો આ મુજબ કરશું કે તો નિયમિતતા આદ્ય બની જશે. વ્યવસ્થિતતા, કોઇપણ ઠેકાણે વ્યવસ્થાની ઉણપ તુરત જણાઇ આવશે જે યોગ્ય નહીં લાગે. શબ્દોની રચના પણ વ્યવસ્થિત ન હોય તો ગમતી નથી. ટુંકમાં જ્યાં જે ચીજની અનિવાર્યતા હોય ત્યાંજ હોવી જરુરી છે. ત્રીજી વાત ઉપયોગીતા ની, જરૂર પુરતું જ લેવું અને જરૂરિયાતમાં સમયાંતરે ઘટાડો કરવો પણ અનિવાર્ય છે. ઉપયોગ તે આત્માનો ગુણ છે અને સ્થૂળ ઉપભોગ એ નાશવંત શરીરનો ગુણ છે. માનવી જો સત્ય ઉપયોગ રાખ્યાં શીખે તો અનેક અનિષ્ટોમાંથી તે ઉગરી જશે અને પાપમાં ઘટોડો થશે. #દિપકચિટણીસ (DMC)