ગંગાસતી ની વાણી...૩૧
🍁🍁🍁🍁🍁🍁🍁
પ્રેમલક્ષણા ભક્તિ જેને પ્રકટી તેને, કરવું પડે નહીં કાંઈ રે,
સદગુરુ વચનની છાયા પડી ગઈ તેને,અઢળક પ્રેમ જાગ્યો ઉરમાય
પ્રેમલક્ષણા...
ભાઈ રે !
પ્રેમલક્ષણા ભક્તિ શબરીએ કીધી ને,હરીએ આરોગ્યા એંઠા બોર રે
આવરણ અંતરમાં એકે નહિ આવ્યું રે,ત્યાં ચાલે નહિ જમનું જોર
પ્રેમલક્ષણા...
ભાઈ રે !
પ્રેમ પ્રગટ્યો વિદુરની નારી ને રે,ભૂલી ગઈ દેહનું ભાન રે
કેળાની છાલ માં હરિને રીઝાવ્યાને,તેને છૂટ્યું અંતરનું માન રે
પ્રેમલક્ષણા...
ભાઈ રે !
એવો પ્રેમ પાનબાઈ જેને પ્રગટ્યો રે,તે સહેજે હરિ ભેગો થાય રે
ગંગાસતી એમ બોલિયાં રે,તેથી જમરાજા દૂર થાય રે
પ્રેમલક્ષણા...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻