આજની આપણી જિંદગીમાં આપણે બધા જ ઉગ્ર બનીએ છીએ.ઘણીવાર તો વાતમાં ઉગ્ર બનવા જેવું કશુ નથી હોતુ તેમ છતા પણ આપણે ઉગ્ર બનીએ છીએ. જાણીએ છીએ કે ગુસ્સો કરવો યોગ્ય નથી.તેમ છતા પણ ગુસ્સો કરીએ છીએ.
પણ એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે કેટલાંક કાર્યો એવા હોય છે જે ગુસ્સાથી કે ક્રોધથી નહીં પણ પ્રેમથી ખૂબ જ સારી રીતે કરી શકીએ છીએ.જે કામ ધીરે બોલીને, પ્રેમથી અને હસીને કરાવી શકાય ને એજ કામ જોરથી બોલીને અને ક્રોધ કરીને કરવું કે કરાવવું એ મૂર્ખ લોકો કહેવાય છે.અને જે કામ કરવામાં ગુસ્સો આવતો જ હોય એ કાર્ય કરવામાં ગુસ્સો કરવો એ મહા મૂર્ખ કહેવાય છે.
કેટલાક લોકો પોતાની વાત મનાવવા માટે, પોતાનો દરેક બાબત પર અધિકાર છે એવું બતાવવા માટે ગુસ્સો કરતા હોય છે.આવા લોકો ખરેખર મૂર્ખ લોકો જ કહેવાય છે. મિત્રો એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે પ્રેમ જ એક એવું હથિયાર છે જેનાં થકી કોઈપણ કાર્ય આસાનીથી કરાવી શકાય છે.પ્રેમથી પુરી દુનિયા પર વિજય મેળવી શકાય છે.પ્રેમથી મેળવેલી વિજય જ સાચી વિજય કહેવાય છે.
આજે આપણે જોઈએ કે દરેક ઘરોમાં ઈર્ષા, દુઃખ, સંઘર્ષ ,આપત્તિ આ બધુ જોવા મળે છે એનું કારણ માત્ર ને માત્ર પ્રેમનો અભાવ જ છે.એકબીજા પ્રત્યે પ્રેમનાં અભાવ ને કારણે જ આ બધુ જોવા મળે છે.
પ્રેમથી પુરી દુનિયાને જ નહી પરંતું દુનિયા બનાવવાવાળા ને પણ જીતી શકાય છે.પશુ પક્ષીઓ પણ માત્ર પ્રેમની ભાષા જ સમજે છે.
બસ જીવનમાં દરેકને પ્રેમ વહેંચતા રહો. એની ખુશ્બુ દરેકનાં જીવનમાં મહેકતી રહેશે.
રાજેશ્વરી