સહજ મન શીતળ , ઉત્તુંગ શિખરે પહોંચે,
હ્દય ઉદધિ છલકતો નયન દ્વાર સુધી પહોંચે;
વિશ્રાંતિ પામવી છે જ,અતિ દોહ્યલું વિશ્વમાં,
પામ્યા ભીતર મલકતો , આનંદ સુધી પહોંચે;
ગજબ ઉથલ પાથલ થાય, રાજનીતિ માંહી,
કૂટનીતિ માં ભટકતો , એ તાજ સુધી પહોંચે;
દિલમાં દિવાનગી અતિ નીકળ્યા ખૂબ મોજ માં,
જામ છે છલકતો દિલમાં, હકીકી સુધી પહોંચે;
પહેચાન ખૂદની ખોજતો રહ્યો ,દેહ અધ્યાસ માં,
ગુરુ જ્ઞાને અટકતો, ચૈતન્ય પ્રકાશ સુધી પહોંચે;
પરવાના જેવી હયાતિ છે, નૂરાની મહોબતમાં,
અંધારી રાતે ઝલકતો,ખૂદ શિકારી સુધી પહોંચે;
-મોહનભાઈ આનંદ