એને જાણ હતી કોના શિકાર થવાનું હતું,
શિકાર થતી વેળા એ જ ચહીતી મૂર્તિ સન્મુખ હતી.
સુવર્ણમૃગ બનવું ગમશે જો રામજી શિકારી હશે.
શિકાર અને શિકારી ઘણા થયા દુનિયામાં,
ક્રીડા અહીં બેડો પાર કરશે જો રામ કે શિવ સામે હશે.
છબી નયનમાં શિકારનાં -પહેલાં અને પછી - પણ,
શિકારીની કાયમ રહે છે ને તેથી જ,
ત્યાં જ દશેરા ને શિવરાત્રી સદા વિલસે છે.
-- વર્ષા શાહ
#શિકાર