સહેલું કે નહીં સહેલું એ આપણા પોતાના બળ અને કળ એટલે કે બુદ્ધિ, કાળ એટલે કે સમય - સંજોગ અને કર્મ એટલે કે નસીબ ઉપર આધારીત છે.કોઈ પણ વાત કે કાર્ય સહેલું બનાવવું હોય તો તેનું બુધ્ધિપૂર્વક વિચારીને આયોજન કરવું જોઈએ. એને શરૂ કેવી રીતે કરી શકાય, કેટલો સમય લાગશે, કેવા પ્રકારના માણસોની ક્યારે જરૂર પડશે, આર્થિક પાસું, અનુભવ અને આવડત, વિશ્વાસુ સાથીઓ સાથે હોય +સામાજિક કે ભાવનાત્મક વાત હોય તો તેની બધી વિચારણા કરીને ક્રમબધ્ધ રીતે કૂનેહપૂર્વક કામનો અમલ કરવામાં આવે +કુદરતની કૃપા હોય તો યોગ્ય વ્યક્તિ માટે કોઈ પણ કામ સરળ અને સહેલું બની જાય છે.