મારા મનની, મારા અંતર આત્માની વાત કરુ છું. મને ભગવાનમાં પુરેપુરી શ્રધ્ધા છે. હું જ્યારે ભજન સાંભળું છું ત્યારે મારો અંતર આત્મા આનંદિત થાય છે, રાજી થાય છે. ભજન ગાવા તથા સાંભળવા તે પણ ભગવાનની ભક્તિ જ છે. મને કોઇ ભગવાન નથી, આ બધા ધતિંગ છે તેમ કોઇ કહે તે જરા પણ ગમતું નથી. હું મંદિરે ભગવાનનાં દર્શન કર્યા વિના રહી શકતો નથી. મને સંતોનાં દર્શન કરવાં પણ ગમે છે. આપણે જો સારા, પુણ્યનાં કામ કર્યા હશે અને મૃત્યુ આવે ત્યારે ભગવાનનું ભજન કરતાં હશું તો ભગવાનનાં ધામમાં જશું, નહીંતર ફરી જન્મ લેવો પડશે.